Chapter : ઝિયારતે મદીનહ
(Page : 1)
બિસ્મિહી તઆલા
ઝિયારતે મદીનહ મુનવ્વરહ : અલ્લાહ તઆલાના પવિત્ર ઘર ”ખાનએ કઅબહ”ના દીદાર અને ”હજ્જ”ના મુબારક ફર્ઝથી ફારિગ થઈ, ઝિંદગીની સૌથી મોટી નેઅમત અને સઆદત, મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મુબારક રવઝહની ઝિયારત માટે મદીનહ મુનવ્વરહનો સફર કરવો છે.
તમો જો હજ્જ પછી મદીનહ મુનવ્વરહ જઈ રહયા છો તો તવાફે વદાઅ કરવાનું ભૂલશો નહિ.”મકકહ મુકર્રમહ”થી જુદાઈના રંજ અને ગમને ”મદીનહ મુનવ્વરહ”ની હાજરી અને રવઝએ પાકની ઝિયારત અને બારગાહે નબુવ્વતમાં હાજરીની ખૂશીઓથી દૂર કરો. મસ્ત થઈને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર દુરૂદો સલામ પઢો :
اللھم صل علی سیدنا محمد وعلی الہ واصحابہ وبارک وسلم کما تحب وترضی عدد ما تحب وترضی |
”સઊદી હુકૂમતે” મકકહ મુકર્રમહથી મદીનહ મુનવ્વરહ સુધી, ડબલ લાઈન પાકી સડક બનાવી છે આ તે જ રસ્તો છે, જે રસ્તે થી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ મકકહ મુકર્રમહથી મદીનહ મુનવ્વરહનો સફર કર્યો હતો અને એ કારણે આ સડકનું નામ પણ ”શારિઉલ હિજરત” (હિજરતનો રસ્તો)રાખવામાં આવ્યું છે.આ સડકના કારણે મકકહ મુકર્રમહથી મદીનહ મુનવ્વરહનો સફર ઘણો જ આસાન થઈ ગયો છે.
Log in or Register to save this content for later.