હજ્જ ના પાંચ દિવસ

Chapter : હજ્જ ના પાંચ દિવસ

(Page : 1 to all)

: એહરામ :-

જયારે એહરામ બાંધવાનો ઈરાદો હોય, (સમય આવે) તો પહેલાં હજામત કરાવો, નખ કાપો, ડૂટીથી નીચેના તેમજ બગલના બાલ સાફ કરો.પછી એહરામની નિય્યતથી ગુસલ કરો, જેમાં સાબૂન વગેરે લગાવી, ખૂબ સફાઈ થઈ જાય, એ રીતે ગુસ્‌લ કરો, સીવેલા કપડાં કાઢી નાખો, અને એક ચાદર નીચે બાંધી લો, અને બીજી ચાદર ઓઢી લો. આ બંને ચાદરો સફેદ હોય તો વધારે સારૂ, ખૂશ્બૂ લગાવી લો.

ઓરતોનું એહરામ પહેરેલા કપડાં જ છે, તેમજ ઓરતો માથું ઢાંકી શકે છે, પણ મ્હોં (ચહેરો) હંમેશા ખુલ્લો રાખવો જરૂરી છે, ભલે બુરકો પહેર્યો હોય.

માશાઅલ્લાહ આપે ગુસલથી ફારિગ થઈ, એહરામ બાંધી લીધું, પણ હજુ સુધી આપ એહરામમાં દાખલ થયા નથી, કારણ કે એહરામની નિય્યત કરવાની બાકી છે.

હવાઈ જહાઝથી જનાર હાજી લોકો,અમદાવાદ” અથવા મુંબઈ” થી એહરામ બાંધી લે.

હવે આપે બે રકાત નમાઝ પઢવાની છે, એટલો ખ્યાલ રાખવો જરૂરી છે કે મકરૂહ ટાઈમ ના હોય. અને બે રકા’ત નમાઝ મર્દોએ પણ માથું ઢાંકીને જ પઢવાની છે, ચાહે ટોપી પહેરે, અથવા એહરામની ચાદરથી પોતાનું માથું ઢાંકી લે.

પહેલી રકા’તમાં કુલ્‌ યા અય્યુહલ કાફિરૂન’ અને બીજી રકા’તમાં કુલ હુવલ્લાહુ અહદ” પઢો અને સલામ ફેરવ્યા પછી, કિબ્લહ રૂખ બેસીને પોતાનું માથું ખોલી નાખો, અને તેજ જગાએ બેસીને એહરામની નિય્યત પણ કરી લો.

જો ઉમરહ” ની નિય્યત કરી રહયા હોય, તો આ પ્રમાણે નિય્યત કરો.

اَللّٰھُمَ اِنِّیْ اُرِیْدُالْعُمْرَۃَ فَیَسِّرْھَالِیْ وَ تَقَبَّلْھَا مِنِّیْ

(અલ્લાહુમ્મ ઈન્ની ઉરીદુલ્‌ ઉમરત, ફ યસ્સિરહા લી, વ તકબ્બલ્‌હા મિન્ની.)

”ઓ અલ્લાહ ! હું ઉમરહની નિય્યત કરું છું તમો મારા માટે ઉમરહને આસાન ફરમાવો અને મારા ઉમરહને કબૂલ ફરમાવો.”

અને જો ”હજ્જ”ની નિય્યત કરી રહયા હોય, તો આ પ્રમાણે નિય્યત કરો.

اَللّٰھُمَّ اِنِّیْ اُرِیْدُ الْحَجَّ فَیَسِّرْہُ لِیْ وَتَقَبَّلْہُ مِنِّیْ

                (અલ્લાહુમ્મ ઈન્ની ઉરીદુલ હજ્જ ફ યસ્સિરહુ લી વ તકબ્બલહુ મિન્ની.)

”અય અલ્લાહ તઆલા હું આપની રઝામંદી માટે હજ્જનો ઈરાદો કરું છું. આપ મારા માટે એને આસાન ફરમાવી, કબૂલ ફરમાવો.

ત્યાર પછી, મર્દો ઊંચી અવાજે, અને ઔરતો નીચી આવાઝે, નીચે પ્રમાણેનો તલબિયહ પઢે.

لَبَّيْكَ اللَّهُمَّ لَبَّيْكَ ، لَبَّيْكَ لَا شَرِيكَ لَكَ لَبَّيْكَ ، إِنَّ الْحَمْدَ والنِّعْمَةَ لَكَ وَالْمُلْكُ ، لَا شَرِيكَ لَكَ

લબ્બય્‌ક, અલ્લાહુમ્મ લબ્બય્‌ક

લબ્બય્‌ક લા શરીક લક લબ્બય્‌ક

ઈન્નલ્‌–હમ્દ વ ન્નિઅમત લક

વલ મુલ્ક,લાશરીક લક

હું હાજર છું,અય અલ્લાહ હું હાજર છું,

હું હાજર છું,તમારો કોઈ ભાગીદાર નથી,હું હાજર છું,

બધા વખાણ અને નેઅ્‌મતો તમારા માટે છે,

અને મુલ્ક પણ , તમારો કોઈ ભાગીદાર નથી.

: મનાસિકે હજ્જ એક નઝરમા :

હજ્જનો પહેલો દિવસ, ૮,ઝિલ્હજ્જ

મકકહ મુકર્રમહથી મિના રવાનગી , અને મિનામાં, ફજર, ઝૂહર, અસર, મગરિબ, ઈશા પઢવાની છે.

રાત મિનામાં કિયામ કરવાનો છે.

હજ્જનો બીજો દિવસ, ૯,ઝિલ્હજ્જ

ફજરની નમાઝ મિનામાં અદા કરીને, અરફાત માટે રવાનગી, મસ્જિદે નમિરહમાં ઈમામ સાથે નમાઝ પઢવાની સૂરતમાં ઝુહર,અસર એક સાથે અદા કરવાની છે.ત્યાર પછી વુકૂફે અરફાત કરવું, અને જો મસ્જિદે નમિરહમાં ઈમામ સાથે બંને નમાઝો જમાઅતથી ના પઢી શકયા હોય, અને એકલા પઢો, તો બંને નમાઝો (ઝુહર–અસર) તેમના ટાઈમે જ પઢો.

મગરિબના ટાઈમે, મગરિબની નમાઝ પઢયા વગર, મુઝદલિફહ માટે રવાનગી, મગરિબ અને ઈશાની નમાઝો, ઈશાના ટાઈમે, મુઝદલિફહમાં ભેગી પઢવી.,

રાત્રે મુઝદલિફહમાં કિયામ કરવું

હજ્જનો ત્રીજો દિવસ, ૧૦,ઝિલ્હજ્જ

સુબ્હે સાદિકથી ખૂબ અજવાળું થતાં સુધી મુજદલિફહમાં થોભવું, તુલૂએ આફતાબ પછી, મુઝદલિફહ થી મિના વાપસી,પહેલાં મોટા શૈતાનને રમી કરવી,પછી કુર્બાની કરવી,પછી માથાના વાળ, મુંડાવવા અથવા કતરાવવા, પછી તવાફે ઝિયારત માટે મકકહ મુકર્રમહ જવું,રાત્રે મિનામાં કિયામ કરવું

હજ્જનો ચોથો દિવસ, ૧૧,ઝિલ્હજ્જ

ઝવાલથી લઈ ગુરૂબે આફતાબ સુધીમા, મિના માં રમી કરવી, પહેલાં નાના શૈતાનને રમી કરવી,પછી વચલા શૈતાનને રમી કરવી

પછી મોટા શૈતાનને રમી કરવી,ગઈ કાલે તવાફે ઝિયારત ના કર્યો હોય તો આજે કરી લો,રાત્રે મિનામાં કિયામ કરવો

હજ્જનો પાંચમો દિવસ, ૧ર,ઝિલ્હજ્જ

ઝવાલ થી લઈ ગુરૂબે આફતાબ સુધીમાં મિનામાં રમી કરવી,પહેલાં નાના શૈતાનને રમી કરવી,પછી વચલા શૈતાનને રમી કરવી

પછી મોટા શૈતાનને રમી કરવી,પરમ દિવસે તથા ગઈ કાલે (એટલે ૧૦, ૧૧, ઝિલ્હજ્જે) તવાફે ઝિયારત ના કર્યો હોય તો આજે કરી લો.

નોટ :– જો ૧૩ ઝિલ્હજ્જનાં થોભવાનો ઈરાદો હોય તો ઝવાલથી પહેલાં ત્રણે જમરાતને કાંકરીઓ મારી શકાય છે. અને જો ૧૩, તારીખના થોભવાનો ઈરાદો ના હોય, તો મિનામાંથી મગરિબ પહેલાં નીકળી જવું જરૂરી છે.

:હજ્જે તમત્તુઅનાં અમલો એક નઝરમા :

ઉમરહનું એહરામ શર્ત
ઉમરહનો તવાફ રમલ સાથે (રમલ સુન્નત છે.) રૂકન
ઉમરહની સઈ વાજિબ
સઈ પછી, પૂરા માથાના વાળ કપાવવા વાજિબ
૮,ઝિલ્હજ્જના હજ્જનું એહરામ બાંધવું શર્ત
વુકૂફે અરફાત રૂકન
વુકૂફે અરફાત પછી, વુકૂફે મુઝદલિફહ વાજિબ
૧૦,ઝિલ્હજ્જના જમરએ અકબહની રમી વાજિબ
કુર્બાની વાજિબ
૧૦ હજામત વાજિબ
૧૧ તવાફે ઝિયારત રૂકન
૧૨ સફા–મરવહની સઈ વાજિબ
૧૩ ૧૧,૧ર ઝિલ્હજ્જના ત્રણેવ જમરાતની રમી વાજિબ
૧૪ તવાફે વિદાઅ વાજિબ

 

: તવાફે વિદાઅ :

જયારે મકકહ મુકર્રમહથી પોતાના વતન પાછા ફરવાનો વારો આવે, ત્યારે આપે તવાફે વિદાઅ (રૂખ્સતીનો તવાફ) કરવાનો છે.(મીકાતથી બહાર રહેનારાઓ (બહારના હાજીઓ) માટે આ તવાફે વિદાઅ વાજિબ છે.) ત્રણેવ પ્રકારના એહરામવાળાઓ (કારિન, મુતમત્તિઅ, મુફરિદ) ઉપર વાજિબ છે.( આ તવાફ મીકાતથી અંદર રહેનારાઓ માટે તેમજ ફકત ઉમરહ કરવા આવનારાઓ માટે વાજિબ નથી.)

જો ઔરતને હૈઝ આવી ગયું હોય, અથવા નિફાસની હાલતમાં હોય, અને તે મકકહ મુકર્રમહથી રવાના થતાં સુધી, પાક ના થઈ હોય, તો તેના માટે તવાફે વિદાઅ માફ થઈ જશે, આવી ઔરતે હરમ શરીફના દરવાજા બહાર, ઉભા થઈને દુઆ માંગી લેવી જોઈએ, હરમ શરીફમાં દાખલ ના થાય.

તવાફે વિદાઅમાં રમલ કરવાનો નથી, અને સાતેવ ચકકરો, સામાન્ય ચાલ પ્રમાણે ચાલીને પૂરા કરવાના છે. તવાફ કરતી વખતે, પોતાના ઉપર ગમ તથા અફસોસની હાલત પૈદા કરો, આંખોથી આંસુ વહે તો સારુ, નહિતો, રડવાની શકલ બનાવો. તવાફ પછી બે રકા’ત નમાઝ તવાફની પઢવાની છે, ત્યાર પછી ઝમઝમ ઉપર જાઓ, અને કિબ્લહ તરફ ઉભા રહી, ઝમઝમનું પાણી પેટ ભરીને, ખૂબ ધરાઈ ધરાઈને પીઓ, અને બદન ઉપર તથા સીના ઉપર લગાવો. થઈ શકે તો, કઅ્‌બતુલ્લાહની ચોખટને બોસો આપો, અને મુલ્તઝમ ઉપર મ્હોં મુકીને, કઅબતુલ્લાહનો પડદો પકડીને, રડી કકડીને, ખૂબ આજિઝી સાથે, દુઆ માંગો, કે આ પાક જગા ના દિદાર વારંવાર નસીબ થાય. હજરે અસ્વદને બોસો આપો,આ મૌકા ઉપર ,જો આપની આંખો બે આસું વહાવી આપે, તો ઘણું જ સારૂ, અને મુબારક છે. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હજરે અસ્વદને બોસો આપતાં આપતાં, હઝરત ઉમર (રદિ.)થી ફરમાવ્યું હતું : ھھنا تسکب العبرات” આ છે, આસુંઓ વહાવવાની જગા”.

ખાનએ કઅબહની જુદાઈ ઉપર, અફસોસનો ઈઝહાર કરો. બયતુલ્લાહના અદબો, અને હુકૂકોના વિશે જે કંઈ કોતાહીઓ આ દિવસોમાં થઈ ગઈ હોય, તેની માફી માંગતા માંગતા મસ્જિદે હરામથી નીકળો, અને કાયદા પ્રમાણે, પહેલા ડાબો પગ (બાબુલ વિદાઅ અથવા બીજા કોઈ પણ દરવાજાથી) મસ્જિદે હરામની બહાર કાઢો અને આ દુઆ પઢો.

اَللّٰھُمَّ اغفِر لِی ذُنُوبِی وَ افْتَحْ لِیْ اَبْوَابَ رَحْمَتِکَ

(અલ્લાહુમ્મ ગ્ફિરલી ઝુનૂબી વફતહ લી અબવાબ રહમતિક)

”એય અલ્લાહ મારા ગુનાહોને મા’ફ ફરમાવો અને મારા માટે તમારી રહમતના દરવાઝા ખોલી આપો”

: તવાફની નિય્યત :

તવાફની નિય્યત ઘણીજ જરૂરી છે, વગર નિય્યતે તવાફ થશે જ નહિ.

اَللّٰھُمَّ اِنِّیْ اُرِیْدُ طَوَافَ بَیْتِکَ الْحَرَامَ سَبْعَۃَ اَشْوَاطِ لِلّٰہِ تَعَالٰی فَیَسِّرْ لِیْ وَ تَقَبَّلْہُ مِنِّیْ

(અલ્લાહુમ્મ ઈન્ની ઉરીદુ તવાફ બય્તિકલ હરામિ, સબ્અત અશ્વાતિન લિલ્લાહિ તઆલા, ફ યસ્સિરહુ લી, વ તકબ્બલહુ મિન્ની.)

” અય અલ્લાહ હું તમારા બયતુલ હરામના, સાત ચકકરોના તવાફની નિય્યત કરું છું, ફકત તમારી ખૂશ્નૂદી અને રઝામંદીના ખાતર. તમો એને મારા માટે આસાન કરી દો અને કબૂલ ફરમાવો.”

હજરે અસ્‌વદને બોસો (ચુંબન)આપ્યા પછી, તવાફ શરૂ કરતી વખતે આ દુઆ પઢો :

بِسمِ اللّٰہِ اَللّٰہُ اَکْبَرُ وَلِلّٰہِ الْحَمْد

બિસ્મિલ્લાહી અલ્લાહુઅકબર વ લિલ્લાહિલ્મદ

એક ખાસ વાત એ પણ યાદ રાખવી, કે કિતાબોમાં તવાફની ખાસ દુઆઓ લખવામાં આવી છે, પણ જે લોકોને આ દુઆઓ યાદ ના હોય, અથવા હવે યાદ નથી કરી શકતા, તો એમાં ગભરાવાની કોઈ જરૂરત નથી, કારણ કે તવાફ દરમિયાન કોઈ મખસૂસ દુઆ બિલકુલ જરૂરી નથી, જો દુઆઓ યાદ ના હોય તો ફકત :

سُبْحَانَ اللَّہِ- الْحَمْدُ لِلَّہِ -لَا إِلَہَ إِلَّا اللَّہُ -اللَّہُ أَکْبَر

(સુબ્હાનલ્લાહિ, અલહમ્દુ લિલ્લાહિ, લા ઈલાહ ઈલ્લલ્લાહુ, અલ્લાહુ અકબર.)

દરેક ચકકરમાં પઢતા રહો, અને સાતેવ ચકકરોમાં જયારે જયારે તમો રૂકને યમાની પાસે આવો, ત્યારે ત્યારે રૂકને યમાનીથી લઈને, હજરે અસ્વદ સુધીમાં આ દુઆ પઢોઃ

رَبَّنَا آتِنَا فِی الدُّنْیَا حَسَنَۃً وَفِی الْآخِرَۃِ حَسَنَۃً وَقِنَا عَذَابَ النَّارِ ۔

                ” અય પરવરદિગાર અમને દુન્યામાં પણ ભલાઈ અતા ફરમાવો અને આખિરતમાં પણ ભલાઈ અતા ફરમાવો, અને દોઝખના અઝાબથી અમને બચાવો.”

જો આટલું પણ યાદ ના હોય તો, પોતાની ઝુબાનમાં જે માંગવું હોય તે માંગો, અને કશું માંગ્યા વગર, અને પઢયા વગર, તવાફ કરશો, તો પણ તવાફ થઈ જશે.

:-સફામરવહની સઈની નિય્યત :

                اَللّٰھُمَّ اِنِّیْ اُرِیْدُ السَّعْیَ بَیْنَ الْصَفَا وَ الْمَرْوَۃَ سَبْعَۃَ اَشْوَاطِ لِوَجْھِکَ الْکَرِیْمِ فَیَسِّرْہُ لِیْ وَتَقَبَّلْہُ مِنِّیْ

(અલ્લાહુમ્મ ઈન્નિી ઉરીદુ સ્સઅ્‌ય બયન સ્સફા વલ મરવત સબ્અત અશવાતિન લિવજહિકલ કરીમ, ફયસ્સિરહૂ લિ વ તકબ્બલહુ મિન્ની.)

”અય અલ્લાહ હું આપની રઝામંદી માટે સફા–મરવહના સાત ચકકરોનો ઈરાદો કરું છું. આપ મારા માટે, તે આસાન ફરમાવી દો અને તેને કબૂલ ફરમાવો. (દિલથી નિય્યત કરી શકો છો, પરંતુ મોંઢેથી બોલવું અફઝલ છે.)

સફા–મરવહ દરમિયાન સઈ કરવાની હાલતમાં આ દુઆ પઢતા રહો :

رَبِّ اغفِر وَارحَم وَاَنتَ الاَعَزُّ الاَکرَمُ

(રબ્બિગફિર, વર્‌હમ, અન્તલ અઅઝઝુલ અકરમ.)

અને બીજી દુઆઓ પણ માંગો.

:- રમીની દુઆ -:

રમી કરવા માટે જમરહથી નઝદીક હોવું કે દૂર હોવું કોઈ જ શર્ત નથી, જયાંથી પણ રમી કરશો, રમી થઈ જશે. પરંતુ સુન્નત આ છે, કે જમરહથી પાંચ હાથ અથવા થોડેક દૂર ઉભા રહેવામાં આવે, એનાથી ઓછા દૂરથી રમી કરવી મકરૂહ છે.

રમી કરવા માટે કાંકરી કેવીરીતે પકડવી ? એવી કોઈ શર્ત નથી, પણ મુસ્તહબ આ છે કે અંગુઠા અને કલિમહની આંગળીથી પકડીને મારવામાં આવે, અને આ પણ મુસ્તહબ છે કે, કાંકરી મારતી વખતે હાથ એટલો ઊંચો થાય કે બગલ ખૂલી જાય અને બગલની સફેદી દેખાય.

રમી કરતી વખતે તકબીર કહેવું મસ્નૂન છે. અટેલે જયારે પણ કાંકરીઓ મારો ત્યારે આ પઢો :

بِسمِ اللّٰہِ اَللّٰہُ اَکْبَررَغْمًا لِلشَّیْطَانِ وَ رَضًی لِلرَّحْمَان

                (બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર, રગ્મન લિશ્શયતાન વ રિદન લિર્રહમાન.)

”હું અલ્લાહના નામથી શરૂ કરું છું, અલ્લાહ સૌથી મોટો છે. (આ કાંકરી) શૈતાનને ઝલીલ કરવા, અને અલ્લાહ પાકને રાજી કરવા માટે મારું છું”

:- કુર્બાની-:

”મનહર” એટલે કે કુર્બાની કરવાની જગા ઉપર તમે જોશો, કે લાખોની ગણત્રીમાં ઘેટા, બકરાં,ગાયો, ઊંટો વગેરે હશે, તમે પોતાની પસંદ અને પોતાની તાકત પ્રમાણે, જોઈને, જાનવર ખરીદ કરી લો, અને કુર્બાની કરો.

કુર્બાનીના જાનવર માટે ખ્યાલ રાખો કે, તેને ઝુબ્હ કરતા પહેલા કંઈ ખવડાવવું, પીવડાવવું જોઈએ અને છરી બરાબર તેઝ કરો, પણ જાનવરની સામે તેઝ ના કરવામાં આવે. ઝુબ્હ કરતાં પહેલાં, જાનવરનાં બંને હાથ અને એક પગ બાંધી દેવામાં આવે, અને કિબલહ તરફ મ્હોં કરીને સુવડાવવામાં આવે, અને ઝુબ્હ કરતા પહેલાં આ દુઆ પઢવામાં આવેઃ

اِنِّی وَجَّہتُ وَجہِیَ لِلَّذِی فَطَرَ السَّمٰوٰتِ وَالأَرضَ حَنِیفاً وَّمَا اَنَا مِنَ المُشرِکِینَ ، اِنَّ صَلاَتِی وَنُسُکِی وَمَحیَایَ وَمَمَاتِی لِلّٰہِ رَبِّ العَالَمِینَ لاَ شَرِیکَ لَہُ وَبِذٰلِکَ اُمِرتُ وَاَنَا اَوَّلُ المُسلِمِینَ ،

ત્યાર પછી ગળા ઉપર છરી મુકીને આ દુઆ પઢતાં પઢતાં ઝુબ્હ કરો :

اَللّٰہُمَّ مِنکَ وَلَکَ بِسمِ اللّٰہِ اَللّٰہُ اَکبَرُ

ઝુબ્હ કર્યા પછી આ દુઆ પઢો :

اَللّٰھُمَّ تَقَبَّلَ ھٰذِھٖ الاَضْحِیَّۃَ مِنِّی کَمَا تَقَبَّلْتَ مِنْ اِبْرَاھِیْمَ خَلِیْلِکَ وَ اِسْمَاعِیْلَ ذَبِیْحِکَ وَ مُحَمَّدٍ نَبِیِّکَ وَ مُصْطَفٰکَ عَلَیْھِمُ الصَّلٰوۃُ وَ السَّلَام

                જો કોઈના તરફથી ઝુબ્હ કરી રહયા હોય તો مِنِّی ના બદલે مِنْ فُلَاں بِن فُلَاں (તેનું તથા તેના બાપનું નામ લેવામાં આવે.)

اَللّٰہُمَّ مِنکَ وَلَکَ پھر بِسمِ اللّٰہِ اَللّٰہُ اَکبَرُ

એ પણ યાદ રાખો કે, એક જાનવરની સામે બીજું જાનવર ના ઝુબ્હ કરો, લોહી માટે ખાડો કરવામાં આવે, અને જાનવરોની આંખો બંદ કરવામાં આવે, છરી જમણા હાથથી પકડવામાં આવે, અને ઝુબ્હ કર્યા પછી જાનવરના હાથ પગ ખોલી નાખવામાં આવે.

વધુ વિગત માટે અહકરની ”હજ્જ અને ઉમરહ ફલાહીના હમરાહ” નામક કિતાબનું જરૂર વાંચન કરો.

Log in or Register to save this content for later.