વકીલથી ઝકાતની અમુક રકમ ખોવાઇ ગઇ તો…

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 134)

જો કોઇ માલદારે કોઇને ઝકાતનું ફંડ વહેંચવા માટે આપ્યું અને વકીલ તરફથી હિફાઝતમાં કોઇ પણ જાતની કોતાહી ન થવા છતાં ઝકાતની રકમ કોઇ કારણસર ખોવાઇ ગઇ, તો તેના પર ઝમાન (બદલો) વાજિબ નથી. માત્ર અસલ માલિકને જાણ કરી આપે કે આ પ્રમાણે બન્યું છે, જેથી એટલી રકમની ઝકાત બાકી હોવાનું માલૂમ થાય અને જો વકીલની લાપરવાહીથી આ પ્રમાણે બન્યું છે તો વકીલ પર ઝમાન વાજિબ છે. આ સૂરતમાં પણ વકીલને જાણ કરી તેની ફરીવારથી રજા લઇ વકીલ ઝકાત વહેંચશે તો ઝકાત અદા થઇ જશે. (મહમૂદુલ ફતાવા–ગુજરાતી : ર/ ૭ર)

નોટ : વકીલ પર ઝમાન વાજિબ થવાની શકલમાં જો તે રજા વગર અદા કરશે તો ઝકાત અદા નહિ થાય. (મુહમ્મદસઈદ)

Log in or Register to save this content for later.