Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 133)
બેહતર આ છે કે દરેક શહેરવાસીઓ પોતાની ઝકાત પોતાના શહેરના ફકીરો–ગરીબો અને હકદારો ઉપર ખર્ચ કરે, પરંતુ જો બીજી જગ્યાએ લોકો વધુ હકદાર હોય તો બીજી જગ્યાએ ઝકાતની રકમ મોકલવામાં કોઇ વાંધો નથી. દા. ત. ઘણાં બધાં સગાં–સંબંધીઓ બીજા શહેરમાં રહેતા હોય યા એવા મદ્રસાઓ જે પછાત અને આર્થિક રીતે નબળા ઇલાકાઓમાં હોય જ્યાં મદદ કરવી દીનની સ્થિરતા અને મજબૂતી માટે જરૂરી છે તો ત્યાં ફકત ઝકાતનું ફંડ મોકલવું ન કેવળ જાઇઝ છે, બલકે વધુ સવાબનું નિમિત્ત છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૯૬, ફતાવા દીનિય્યહ : ર/પપ૩)
Log in or Register to save this content for later.