Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 131)
કોઇ માણસે ઝકાતની નિય્યતથી ઝકાતની રકમ અલગ કરી અથવા વકીલ (નાયબ)ને આપી દીધી અને અદા કરતાં પહેલાં મૃત્યુ પામ્યો, તો જો મય્યિતે તેની વસિય્યત પણ કરી હોય તો એ રકમને ઝકાતમાં આપવામાં આવશે, શર્ત એ કે કુલ છોડેલ મિલકતની એક તૃતીયાંશથી વધારે ન હોય અને જો વસિય્યત કરી ન હતી, તો વારસામાં છોડેલ મિલકતમાં ગણતરી કરી વારસદારોમાં વહેંચાશે.
તદુપરાંત, ઝકાતની જે રકમ નાયબને આપી છે તે ફકીર– ગરીબના સ્થાન પર નિયુક્ત થયેલ નથી અને ઝકાત કાઢનારના મરણથી તે પદભ્રષ્ટ થયેલ (એટલે કે નાયબના પદ પરથી ઉતારી મૂકેલ) ગણાશે, એટલા માટે તેને એ રકમને ઝકાતમાં ખર્ચ કરવાનો પાવર બાકી રહેશે નહિ. (અહસનુલ ફતાવા : ૪/ર૬પ)
Log in or Register to save this content for later.