Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 126)
આ વિશે ગુજરાતના ભૂતપૂર્વ અને સુપ્રસિદ્ધ મુફતી હઝરત મવ. મુફતી ઇસ્માઈલ સાહેબ ભડકોદ્રવી (રહ.) ઘણી જ ઉમદા વાત એક સવાલના જવાબમાં લખે છે : ”જે ગામના રહેવાસીઓ આર્થિક રીતે સુખી હોય, જ્યાં ના રહીશોનો મોટો ભાગ–વર્ગ શરઈ દ્રષ્ટિએ માલદાર હોવાથી ઝકાત આપનાર હોય (જેમ કે આજકાલના વધુ પડતા ગામડાં/શહેરોની પરિસ્થિતિ છે–(મુહમ્મદસઈદ) તેવા ગામના સ્થાનિક મકતબ, મદ્રસહ અને ટ્રસ્ટ સંચાલિત ખાનગી શાળાના સંચાલન ખર્ચ માટે ઝકાતની રકમનો ઉપયોગ ન કરવો જોઇએ, બલકે લિલ્લાહ ફંડનો ચંદો કરી તા’લીમી અને તા’મીરી જરૂરતો પૂરી કરવી જોઇએ.
અલબત્ત, ગામના મદ્રસાની અને શાળામાં પઢતા અને ભણતા મુસ્લિમ ગરીબ બાળકો જે ઝકાતના હકદાર હોય તેમની તા’લીમી જરૂરતો માટે પૂરતી હોય એટલી જ ઝકાતની રકમ ટ્રસ્ટ સ્વીકારી શકે છે અને ઝકાત આપનાર ભાઇઓની ઝકાત અદા થઇ જાય એ રીતે ગરીબ મુસ્લિમ બાળકો માટે ખર્ચ કરી શકાય છે. આર્થિક રીતે શકિતશાળી હોય એવા ગામ/શહેરના ગરીબ–માલદાર રહેવાસીઓનાં બાળકોની તા’લીમી વ્યવસ્થા માટે ઝકાતની રકમ હીલો કરીને વાપરવી એ ઇસ્લામી તા’લીમ અને ગયરત (શરમ)ને અનુરૂપ અને શોભનીય નથી.” (ઝુબ્દતુલ ફતાવા : ૪/ર૪૪)
સુબ્હાનલ્લાહ ! હઝરતેવાલાએ કેટલી સરસ અને સુંદર વાત લખી છે, જે હર કોઈના ગળે ઊતરી જાય. અલ્લાહ તઆલા આપણા મુસ્લિમ સંચાલકોને ઉક્ત વાત પર અમલ કરવાની તૌફીક બખ્શે. તદુપરાંત, ઝકાતની રકમનો ગમે તેમ મારી–મચડીને અતિશય અને સખત જરૂરત ન હોવા છતાં હીલો કરવાથી બચવાની તૌફીક નસીબ કરે, આમીન !(મુહમ્મદ સઈદ)
Log in or Register to save this content for later.