[૪૩] ગુસલના પાણીમાં ગુસલના છાંટા પડવાનો હુકમ

Chapter : તહારત

(Page : 87)

સવાલ :– જનાબતવાળો માણસ ગુસલ કરે ત્યારે તેના નાપાક બદન પરથી પાણીના અમુક છાંટા પાક પાણીના વાસણમાં (જે વાસણના પાણીથી તે ગુસલ કરી રહ્યો છે, તેમાં) ઉડે છે, તો વાસણનું પાણી તેમાં મજકૂર છાંટા પડવાથી નાપાક થશે કે નહિ ?

જવાબ :– જનાબતનું ગુસલ કરતી વખતે બદન પર લાગેલી મઝી, મની અથવા પેશાબ ધોતી વખતે ગુસલ માટે મૂકેલા પાણીના વાસણમાં બદન પરથી જે છાંટા પડે તે નાપાક પાણીના છાંટા છે, માટે તે નાપાક પાણીના છાંટા પાક પાણીના વાસણમાં પડવાથી વાસણનું પાણી નાપાક થઈ જશે અને જો બદન પર મઝી, મની કે પેશાબ જેવી કોઈ હકીકી નાપાકી લાગેલી ન હોય, બલ્કે જનાબતની ફકત હુકમી નાપાકી જ બદન પર હોય તો આ સૂરતમાં ગુસલના પાક પાણીમાં ગુસલ કરતી વખતે ઉડેલા છાંટાથી ગુસલનું પાક પાણી નાપાક નહિ થાય, કારણકે હુકમી નાપાકી દૂર કરતી વખતે ઉડેલા પાણીના છાંટા નાપાક નહિ ગણાય. (‘બહર ૧/૭૧, ‘આલમગીરી ૧/ર૧, ‘મબસૂત ૧/૪૬)

Log in or Register to save this content for later.