Chapter : નમાઝ
(Page : 268)
સવાલ :– હમો કેદી જુમ્અહના દિવસે ઝોહરની નમાઝ જમાઅત સાથે અદા કરી શકીએ? કારણ કે રોજ અમો જમાઅત કરીએ છીએ. પણ અમદાવાદ મરકઝ ઉપરથી એવા સમાચાર આવ્યા કે જુમ્અહના દિવસે ઝોહર પણ દરેક સાથીએ અલગ અલગ પઢવી. સહીહ જવાબ આપશોજી.
જવાબઃ– મરકઝ ઉપરથી આપને જે મસ્અલો બતાવવામાં આવ્યો છે કે જુમ્અહના દિવસે જેલમાં દરેક સાથીએ અલગ અલગ ઝોહરની નમાઝ પઢવી, એ બરાબર છે કારણ કે જુમ્અહના દિવસે જમાઅત સાથે ઝોહરની નમાઝ પઢવી નાજાઈઝ અને મકરૂહે તહરીમી છે. (શામી –૧/પ૪૯)
Log in or Register to save this content for later.