Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 97)
ઝકાતમાં પેન આપી શકાય ?
ઝકાતના હકદાર માણસને ઝકાત પેટે પેનની બજાર કિંમત ગણી આપી શકાય છે અને જેટલી કિંમતની પેન હશે તેટલી ઝકાત અદા થશે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૧પર)
ઝકાતની રકમથી ઇનામ
મુસ્લિમ ગરીબ ઝકાતનાં હકદાર બાળકોને પરીક્ષામાં પહેલા–બીજા નંબરે પાસ થવાથી ઝકાતના ફંડમાંથી ઇનામો, નોટબૂકો અને ભણતરને લગતી સાધન–સામગ્રી (સ્ટેશનરી–પાઠય પુસ્તકો વગેરે) આપી શકાય છે. (મુસ્તફાદ ઝુબ્દતુલ ફતાવા : ૪/ર૪પ)
Log in or Register to save this content for later.