[૧૯૯ ] ખુત્બહ વખતે હાથમાં અસા પકડવો

Chapter : નમાઝ

(Page : 265-266-267-268)

સવાલ :– હમારે ત્યાં આખા ઈંગ્લેંડમાં લગભગ જુમ્અહ વખતે ઈમામ સાહેબ અસા પકડી ખુત્બહ આપતા રહયા છે, અમારી મસ્જિદમાં એક મુફતી સાહેબ ના પાડી ગયા છે. ત્યારથી અમારા ઈમામ સાહેબે અસો છોડી દીધો છે. હવે આની ચર્ચા વધી રહી છે, ખતરો છે કે કોમમાં ફિત્નો ઉભો થાય, તો શું આ રીતે અસો પકડવા વિશે હદીષથી કંઈ જ સાબિતી નથી? અગર સાબિત નથી તો આ બધા આલિમો આજ સુધી પોતાની મરજીથી ચલાવતા હતા? અને આ રીતે અસો પકડી ઉભા થઈ ખુત્બહ પઢવું અગર ગુનોહ છે યા તો મના છે તો તેના વિશે હવાલો આપશો, જેથી જે વિરોધ કરે તેને અમો સમજાવી શકીએ.

જવાબ :– ખુત્બહ વખતે હાથમાં અસો પકડવા વિશે હદીષ અને ફિકહની કિતાબોના હવાલાથી હઝરત મવલાના મુફતી મુહમ્મદ શફીઅ સાહેબ (રહ.)એ  લંબાણથી ખૂબ જ આધારભૂત અને મોઅતબર તહકીક ફરમાવી છે. પોતાની મજકૂર તહકીકના અંતમાં ખુલાસા રૂપે લખે છે કે..

ખુલાસએ કલામ અહકર કે નઝદીક ઈસ બાબમેં યે હે કે બવકતે ખુત્બહ અસા યા કૌસ વગૈરહ લેના હદીષસે સાબિત ઔર મશરૂઅ હે, કોઈ શખ્સ ઈસ પર અમલ કરે તો વો કાબિલે નકીર નહિં, લેકિન ઈસકી દૂસરી જાનિબ કાબિલે નકીર નહિં હૈ, કયું કે સુનને આદિયહમેં સે હૈ જૈસે ઈમામ કે લિયે ઈમામહ. ઔર સુનને આદિયહ કા ઐસા એહતિમામ વ ઈલતિઝામ જૈસે સુનને મુઅક્‌કદહ યા વાજિબાત કા હોતા હૈ, ખુદ ઉસ ફેઅલ કો બિદઅત કી કબીલમેં દાખિલ કર દેતા હે ઔર ઈસકા તર્ક અવ્લા હો જાતા હે, હમારે બિલાદ મેં જબકે ખતીબ હાથમેં ખુત્બહ લેકર પઢતા હૈ તો બિલા શુબ્હ અસા વગૈરહ લેને ઔર સંભાલને મેં ઉલજન ઔર તકલ્લુફ હોગા  ઔર શરીઅતને ઈસ ઉલજનમેં પડને કા હુકમ નહિં કિયા. ઐસી હાલતમે તર્ક કર દેના હી અસ્‌લમ મઅલૂમ હોતા હે, હાં કોઈ હિફઝ સે ખુત્બહ પઢે તો અસા વગેરહ હાથમેં રખના અફઝલ હોગા.

અલગર્ઝ ઈસ ફેઅલ કે તર્ક યા અમલ કો મઅરિકએ બહસ બનાના ઉસકી હદ્દે શરઈ સે નિકલના હે, બલ્કે અસલમ યે હે કે કોઈ કરે તો ઉસ પર નકીર ન કિયા જાવે ઔર ન કરે તો ઉસ પર ભી નકીર ન કિયા જાવે.   (ઈમ્દાદુલ મુફતીન – ૩૮૧)

               હઝરત મવલાના મુફતી કિફાયતુલ્લાહ સાહેબ (રહ.) ખુત્બહ વખતે અસો હાથમાં લેવા બાબત એક જવાબમાં લખે છે કે…..

અસા લેકર ખુત્બહ પઢના સાબિત તો હૈ, લેકિન બગેર અસા કે ખુત્બહ પઢના ઈસસે ઝયાદહ સાબિત હે, પસ હુકમ યે હે કે અસા હાથમેં લેના ભી જાઈઝ હે ઔર ન લેના બેહતર હે ઔર હનફિય્યહને ઈસી કો ઈખતિયાર કિયા હે, પસ ઈસકો ઝરૂરી સમજના ઔર ન લેને વાલેકો તાના તશનીઅ કરના દુરૂસ્ત નહીં, ઈસી તરહ લેને વાલે કો ભી મલામત કરના દુરૂસ્ત નહીં.      (કિફાયતુલ મુફતી – ૩/ર૧૪)

               બીજા એક જવાબમાં આ પ્રમાણે લખે છે કે……..

ખુત્બએ જુમ્અહમેં અસા હાથમેં રખના ન વાજિબ હે, ન મસનૂને મુઅક્‌કદહ, ઝયાદહ સે ઝયાદહ મુસ્તહબ – મનદૂબ હૈ, જિસકો સુનને ઝવાઈદમેં શુમાર કિયા જા સકતા હે ઔર ”દુર્રે મુખ્તાર” મેં ”ખુલાસહ” સે અસા પર ખતીબકા સહારા દેના મકરૂહ લિખ્ખા હે, મગર કુહસ્તાનીને ઈસકો સુન્નત બતાયા હે, સુન્નતસે મુરાદ વહી સુન્નતે ગેરમુઅક્‌કહ હે.

                   (કિફાયતુલ મુફતી – ૩/રર૧)

               ઉપરોકત વિગતથી આપની ઉલજનનો ઉકેલ મળી જાય છે કે જેઓ ખુત્બહ વખતે અસો લેતા હતા અને લે છે તે પણ જાઈઝ અને કરાહત મુકત છે, બલ્કે મુસ્તહબ છે અને જેઓ નથી લેતા તે પણ જાઈઝ છે અને કરાહત મુકત છે અને જયારે સામાન્ય લોકો તેને વાજિબ અથવા સુન્નતે મુઅક્‌કદહ સમજવા લાગે તો તેનો ત્યાગ કરવો પણ અફઝલ છે.

Log in or Register to save this content for later.