Chapter : નમાઝ
(Page : 264-265)
સવાલ :– હાલાતના હિસાબે જુમ્આની નમાઝ મસ્જિદમાં બે થાય છે તો ખુત્બો પહેલી વખતની નમાઝમાં થયો અને બીજી વખતની નમાઝમાં પણ થયો તો તેમાં બીજા વખતનો ખુત્બો ઝરૂરી છે? કારણ કે મુંબઈમાં વસ્તીના હિસાબે બન્નેવ ઈદની નમાઝમાં પહેલી નમાઝ વખતે ખુત્બો થાય છે, પછી જે બે ત્રણ નમાઝો તે જ મસ્જિદમાં થાય છે, તેમાં ખુત્બો નથી થતો. ફકત નમાઝ જ થાય છે તો આ બાબતનો જવાબ આપશો.
જવાબ :– પ્રથમ તો એ મસ્અલા પર ધ્યાન દેવું જોઈએ કે એક મસ્જિદમાં બે વાર જુમ્અહની જમાઅત ન કરવી જોઈએ, જો આજ કાલના હાલાતના કારણે જુમ્અહની બીજી જમાઅત કરવી પડે તો જમાઅત ખાનાથી બહાર ખુલ્લા સહનમાં અથવા કોઈ મદ્રસાના હોલમાં અથવા બીજી કોઈ જગ્યાએ પઢવી જોઈએ, જુમ્અહ માટે મસ્જિદ હોવું શર્ત નથી. જો એ પ્રમાણે શકય ન હોય તો ઈમામના ઉભા રહેવાની જગ્યા બદલી પહેલી જમાઅતની શકલ બદલી નાખવામાં આવે. (શામી–૧)
રહી વાત ખુત્બહની, તો દરેક વખતની જમાઅત માટે અલગ ખુત્બહ પઢવો જોઈએ, ચાહે બીજી જમાઅતનો ખુત્બહ ટૂંકો પઢવામાં આવે તો વાંધો નથી.
Log in or Register to save this content for later.