માલિકે ઝકાતની નોટની અદલાબદલી કરવી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 69)

જો માલિકે ઝકાતની રકમ અલગ કરી રાખી છે અને હજુ ફકીરના કબજામાં આપી નથી, તો તે રકમની ફેરબદલી કરવાનો અધિકાર રાખે છે, ત્યાં સુધી કે જો ઇચ્છે તો બીજી જરૂરિયાતમાં ખર્ચ કરી તેની જગાએ બીજી રકમ રાખી મૂકે અથવા બી રકમથી ઝકાત અદા કરી મૂકેલી રકમમાંથી  વસૂલ કરી લે તો તેમાં કોઇ વાંધો નથી. (કિતાબુલ મસાઇલ : ર/૧પ૩)

ઉસ્તાઝે મુહતરમ હઝરત મવલાના મુફતી ઇસ્માઈલ સા. ભડકોવી (રહ.) લખે છે :

”ઝકાતમાં માલિકે નિસાબ માલદારે મોકલેલી કે આવેલી રકમ પર જ હકદારોને ઝકાત પેટે આપવી જરૂરી નથી, બલકે જો તે રકમ પોતાની પાસે જમા રહેવા દઇ પોતાની માલિકીની રકમ એ નિય્યતે તેની ઝકાત અદા કરવા માટે હકદારોને આપે કે હું પોતાની રકમ આપીને તેની જમા રકમમાંથી મારી રકમ લઇ લઇશ, તો પણ રકમ મોકલનારની ઝકાત અદા થઇ જશે.” (ઝુબ્દતુલ ફતાવા : ૪/ર૦૪)

Log in or Register to save this content for later.