માલદાર મુસાફિરનો માલ રસ્તામાં બરબાદ થઇ ગયો

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 69)

માલદાર મુસાફિરનો માલ રસ્તામાં બરબાદ થઇ ગયો

જો કોઇ મુસાફિર પોતાની જગ્યાએ–વતનમાં સાહિબે હેસિયત હોય, પરંતુ સફર દરમિયાન તેનો માલ ખુવાર થઇ જાય(દા.ત. ખિસ્સું કપાય જાય) તો તેના માટે પોતાના વતન પહોંચવા જેટલો માલ ઝકાતના ફંડમાંથી લેવો જાઇઝ છે, પરંતુ એ બહાને વધુ માલ સમેટવો દુરુસ્ત નહિ થાય. (કિતાબુલ મસાઇલ : ર/૧પર, ૧પ૩)

માલદાર મુસાફિરની પાસે ઝકાતની રકમ બચી ગઇ

જે માલદાર મુસાફિરે જરૂરતના સમયે સફર દરમિયાન ઝકાતની રકમ વસૂલ કરી હતી, જો વતન પરત થવા પર ઝકાતની રકમનો કોઇ ભાગ બચી જાયતો તે પોતાની જરૂરિયાતમાં વિના સંકોચે વાપરી શકે છે, તે વધેલ રકમનો સદકહ કરવો તેના ઉપર લાઝિમ અને જરૂરી નથી. (કિતાબુલ મસાઇલ : ર/૧પર, ૧પ૩)

Log in or Register to save this content for later.