Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 68)
જે માલ હરામ તરીકાથી (દા.ત. વ્યાજ, લાંચ અથવા લૂંટફાટ વગેરે દ્વારા) મેળવવામાં આવ્યો હોય તો તે બધા જ માલને મૂળ માલિક સુધી પહોંચાડી આપવો અને માલિકોની જાણ ન હોય તો ગરીબો પર વહેંચી આપવો જરૂરી છે, એટલા માટે આવા હરામ માલને ઝકાતનો હુકમ લાગુ પડતો નથી. અલબત્ત, જો હલાલ અને હરામ માલ એ રીતનો મિશ્રિત હોય કે તેનો હિસાબ અલગ અલગ ન થઈ શકતો હોય તો આ મિશ્રિત માલની ઝકાત ફર્ઝ થશે. (ફતાવા મહમૂદિય્યહ–મેરઠ : ૧૪/૩ર–૩૩, કિતાબુલ મસાઇલ : ર/૧પર)
Log in or Register to save this content for later.