Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 64)
જો કોઇ વસ્તુ (ઘરેણાં અથવા બીજો કોઇ સામાન) કરજના અવેજમાં ગીરો મૂકી હોય તો જ્યાં સુધી તે ગીરવી વસ્તુ રાખનારના કબજામાં રહેશે તેની ઝકાત ફર્ઝ નહીં થાય, ન ગીરવી મૂકનાર પર (કબજો ન હોવાના કારણે) અને ન ગીરવી રાખનાર પર (માલિકી ન હોવાના કારણે) અને ગીરવી મૂકનાર જો કરજ અદા કરી તેને છોડાવી લે, તો પણ તેની પાછલાં વરસોની ઝકાત તેના પર ફર્ઝ નહીં થાય. (શામી : ૩/૧૮૦, તબ્યીનુલ હકાઇક : ર/ર૭, બહરુર્રાઇક : ર/૩પપ)
નોટ : અહીંયા અમુક લોકોએ આ સૂચન અને મંતવ્ય અપનાવ્યું છે કે, જો ગીરવી મૂકેલ વસ્તુની કિંમત કરજની રકમથી વધારે હોય, દા. ત. કરજ એક લાખ હોય અને ગીરવી મૂકેલ ઘરેણું બે લાખનું છે તો ગીરવી મૂકનાર પર એક લાખની ઝકાત ફર્ઝ થશે, કેમ કે તે હિસ્સો અમાનત છે. એટલા માટે ગીરવી વસ્તુ પરત મળ્યા પછી પાછલાં વરસોની ઝકાત પણ તેણે અદા કરવી પડશે, પરંતુ અલ્લામહ શામી (રહ.) અને બહરના લખાણથી આ જ મા’લૂમ પડે છે કે, કરજની રકમ ભલેને ગીરવી મૂકેલ વસ્તુની કિંમતથી ઓછી હોય યા વધુ, કોઇ પણ ભોગે ગીરવી મૂકનાર પર અને ગીરવી રાખનાર પર પાછલાં વરસોની ઝકાત ફર્ઝ નહીં થાય. (જુઓ, શામી : ૩/૧૮૦, તકરીરાતે રાફિઇ : ૩/૧ર૭, કિતાબુલ મસાઇલ : ર/૧પ૦)
Log in or Register to save this content for later.