[૧૯૪ ] જુમ્અહ માટે જલ્દી જવાની ફઝીલત

Chapter : નમાઝ

(Page : 258)

સવાલઃ– ઉંટ, બકરો, મરઘી, ઈંડાનો સવાબ જુમ્અહના દિવસે કયા વખતે ગુસલ કરવાથી મળશે ?

જવાબ :– મોટા ભાગના ઉલમાએ કિરામ ફરમાવે છે કે જે માણસ જુમ્અહના દિવસે સવારમાં જ ગુસલ કરીને પહેલી ઘડીમાં જુમ્આની નમાઝ માટે જશે તેને ઉંટનો સદકહ કરવા બરાબર સવાબ મળશે, અને જે બીજી ઘડીએ જશે તેને ગાય–બળદનો સદકહ કરવા બરાબર સવાબ મળશે અને જે ત્રીજી ઘડીમાં જશે તેને શિંગડાવાળા મેઢાનો સદકહ કરવા બરાબર સવાબ મળશે અને જે ચોથી ઘડીમાં જશે તેને મરઘીના સદકાનો અને પાંચમી ઘડીમાં જનારને ઈંડાના સદકહનો સવાબ મળશે. અને ઈમામ માલિક (રહ.) ફરમાવે છે કે જે ગુસલ કરીને ઝવાલ બાદ પહેલી ઘડીમાં જુમ્અહ માટે જશે તેને ઉંટના સદકહનો સવાબ મળશે અને બીજી, ત્રીજી ઘડીમાં જનારને ક્રમશઃ ઉપર મુજબ સવાબ મળશે. મતલબ કે ઈમામ માલિક (રહ.) જુમ્અહ માટે જલ્દી જવાના વખતથી ઝવાલ બાદનો વખત મુરાદ લે છે અને મોટા ભાગના ઉલમાએ કિરામ સવારનો વખત મુરાદ લે છે. (મઆરિફુસ્સુનન ભાગ –૪/૩૩પ)

Log in or Register to save this content for later.