પ્રૉવિડન્ટ ફંડની ઝકાત

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 61)

નોકરિયાતના પગારમાંથી જે ભાગ જબરદસ્તી કાપી જમા કરી લેવાય છે, જેને પ્રૉવિડન્ટ ફંડ કહે છે, તેના પર  ઝકાત ફર્ઝ નથી. તે ફંડમાંથી નોકરી દરમિયાન કર્ઝ પેટે જો રકમ કાઢી લેવામાં આવે તો પણ તેની ઝકાત ફર્ઝ થશે નહિ. અલબત્ત, નોકરી–સર્વિસ પૂરી થવા પર જ્યારે એ રકમ નોકરને મળશે તો તે કબજો કરેલ માલમાં સામેલ થશે અને અગાઉ નિયમાનુસાર ઝકાત ફર્ઝ થશે. (કિતાબુલ મસાઇલ : ર/૧૪૮)

ઉસ્તાઝે મુહતરમ હઝરત મવલાના મુફતી ઇસ્માઈલ સા. (રહ.) લખે છે : ”પોતાના પગારમાંથી સરકારના કાયદા મુજબ જે રકમ પ્રૉવિડન્ટ ફંડના નામે કપાય છે તેને હાલ પોતાની પાસે જમા રકમ સાથે ગણતરીમાં નહિ લેવી પડે. જ્યારે તે ફંડની રકમ વસૂલ થઇ જાયતો જો પોતાની પાસે તે ફંડ વસૂલાતના સમયે ઝકાતપાત્ર કોઇ મૂડી નિસાબભર પહેલેથી હતી તો હવે ફંડની રકમની તે વર્ષની ઝકાતને મૂડી સાથે આપવાની રહેશે અને જો ફંડની વસૂલાત થતી વખતે કોઇ ઝકાતપાત્ર મૂડી નિસાબભર ન હતી તો હવે વસૂલાત પછી જ્યારે ફંડની રકમ પર વર્ષ વીતી જાય અને કોઇ દેવું–કર્ઝ વગેરે ન હોય ત્યારે ઝકાત આપવી ફર્ઝ થશે, પણ જો કોઇ માણસ એહતિયાત કરી પ્રૉવિડન્ટ ફંડની રકમને ગણતરીમાં લે અને વસૂલ થયે પાછલાં વર્ષોની પણ ઝકાત આપે તો બેહતર છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/પર–પ૩)

નોટ : પ્રૉવિડન્ટ ફંડ અમુક સૂરતોમાં મરજિયાત હોય છે, અર્થાત કંપની તરફથી રકમ જમા કરવી લાઝિમ હોતી નથી, બલકે નોકરિયાતના અધિકારમાં રહે છે અને તે જ્યારે ઇચ્છે ત્યારે મરજિયાતથી જમા કરાવેલ રકમને કાઢી પોતાના ઉપયોગમાં લાવી શકે છે, તો આવી શકલમાં આ મરજી મુજબ જમા કરાવેલ રકમ પર ઝકાત ફર્ઝ થશે. (કિતાબુલ મસાઇલ : ર/૧૪૮, ઝુબ્દતુલ ફતાવા : ૪/૭૧)

Log in or Register to save this content for later.