Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 60)
દરેક તે દેવું જેનો સંબંધ અલ્લાહ તઆલાના હકોથી છે અને કોઇ વ્યક્તિ તરફથી તેની માંગણી ન હોય, દા.ત. મન્નત, કફફારો, સદક–એ–ફિત્ર અને હજનો વુજૂબ તો તેની રકમોને મૂળ મૂડીમાંથી કમ કરવામાં નહીં આવે, બલકે જો એ કામો અર્થે રકમ રાખી હોય અને વર્ષ પૂરું થવાનો સમય આવી જાય તો તે પૂરી રકમ પર ઝકાત ફર્ઝ થશે. (દા.ત. કોઇ શખ્સે હજનો ઇરાદો કર્યો છે અને રમઝાનમાં તેનું વર્ષ પૂરું થાય છે અને તેણે હજ માટે જે રકમ રાખેલ છે તે વર્ષ પૂરું થતી વખતે તેની પાસે હાજર છે તો કુલ રકમ પર ઝકાત ફર્ઝ થશે, હજની રકમની બાદબાકી કરવામાં નહિ આવે. (કિતાબુલ મસાઇલ : ર/૧૪૭)
Log in or Register to save this content for later.