Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 57)
ઈંટોના ભઠ્ઠામાં ઝકાતનો હિસાબ આ રીતે લગાડવામાં આવશે કે, ઝકાત અદા કરતી વેળા જેટલી ઈંટો કાચી યા પાકી મૌજૂદ હોય તેની કિંમત લગાડવામાં આવે અને ઈંટો બનાવવા માટે જે માટી ખરીદવામાં આવી હોય તેની પણ કિંમત મિલાવે, ત્યાર પછી અઢી ટકાના હિસાબથી ઝકાત કાઢે. અલબત્ત, કોલસા અને લાકડાં વગેરે જે ભઠ્ઠામાં સળગાવવા માટે ભેગા કરી રાખ્યાં છે તેની કિંમત પર ઝકાત નથી, કારણ કે આ બધી વસ્તુઓ બળીને રાખ થઇ જાય છે, બાકી રહેતી નથી. (કિતાબુલ મસાઇલ : ર/૧૪૪, ૧૪પ)
Log in or Register to save this content for later.