Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 56)
ઝકાતના રૂપિયાથી M.O.ની ફીસ અથવા ચેક યા ડ્રાફટનું મહેનતાણું અદા કરવું દુરુસ્ત નથી, કેમ કે તેમાં હકદાર ફકીર–ગરીબને માલિક બનાવવાની શર્ત પૂરી થતી નથી; બલકે આ બેંક અથવા ટપાલ કચેરીના કામનું વળતર છે, (એટલા માટે જે લોકો ઝકાતની રકમ ચેક દ્વારા અદા કરે છે અને ચેકની રકમ વસૂલ કરતી વેળા બેંક પોતાની વાજિબ રકમ કાપી હકદારને આપે છે, તો જેટલી રકમ બેંકે કાપી છે તેટલી રકમથી માલિકની ઝકાત અદા નહિ થાય, બલકે કપાયેલી રકમને ફરીવાર ઝકાતમાં આપવી પડશે.)
(ફતાવા મહમૂદિય્યહ : ૯/૪૮૪, ફતાવા દારુલ ઉલૂમ : ૬/૩૩પ, મર્ગૂબુલ ફતાવા : ૩/૩પ૦, કિતાબુલ મસાઇલ : ર/૧૪૪,, ફતાવા દીનિય્યહ : ર/પ૩૪)
Log in or Register to save this content for later.