[૧૯ર ] જુમ્અહ જલ્દી પઢવી અફઝલ છે

Chapter : નમાઝ

(Page : 257)

સવાલ :– અમારે અહિં શિહોરમાં ઝોહરની નમાઝનો જમાઅતનો સમય ૧–૪પ નો છે અને જુમ્અહનો સમય ૧–૩૦ નો છે. મવલાનાનું કહેવું એવું છે કે ઝોહર અને જુમ્અહ બન્નેનો એક જ ટાઈમ હોવો જોઈએ. જુમ્અહનો ટાઈમ બળજબરીથી ૧–૪પ નો કરેલ છે અને જુમ્અહની તકરીર ૧–૪૦ મિનિટ સુધી ચાલુ રાખે છે અને બન્ને ખુત્બહ પાંચ મિનિટમાં પૂરા થાય છે તો કિતાબના હવાલાથી ખુલાસો આપશો.

જવાબ :– શિયાળાની મોસમમાં ઝોહર અને જુમ્અહ બન્ને નમાઝો જલ્દી પઢવાનો હુકમ છે. ઝોહર અને જુમ્અહનો વખત ઝવાલે આફતાબ પછીથી શરૂ થાય છે અને ઉનાળામાં ઝોહરની નમાઝમાં મોડું કરવું અફઝલ છે, પરંતુ જુમ્અહની નમાઝ તો ઉનાળામાં પણ જલ્દી પઢી લેવી જ અફઝલ છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જુમ્અહની નમાઝ ઝવાલ પછી તરત જ અદા ફરમાવતા હતા. માટે મવલાનાનું એમ કહેવું કે ઝોહર અને જુમ્અહ બન્નેની જમાઅતનો ટાઈમ એક જ હોવો જોઈએ તે દુરુસ્ત નથી.

(શામી, ભાગ–૧/ર૪પ, અ. ફતાવા–ર૭૪, કિ. મુફતી, ભાગ–/ર૮)

Log in or Register to save this content for later.