પૉલ્ટ્રી ફાર્મની ઝકાત

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 50)

પૉલ્ટ્રી ફાર્મની જમીન અને ઇમારત વગેરેની કિંમત પર ઝકાત ફર્ઝ નથી અને તેમાં જે મરઘીઓ પાળવવામાં આવે છે તેના બે પ્રકાર છે : (૧) જો પૉલ્ટ્રી ફાર્મથી ઈંડાઓનો હેતુ છે અને તેના વડે આવક પ્રાપ્ત કરવામાં આવે છે, મરઘીઓ વેચાણ માટે નથી તો આવી શકલમાં મરઘીઓની કિંમત પર ઝકાત ફર્ઝ થતી નથી, બલકે ફકત ઈંડાઓ દ્વારા થતી આવક પર ઝકાત ફર્ઝ થશે. એવું સમજો કે મરઘીઓ માધ્યમ અને સાધનના દરમાં છે, (ર) અને જો મરઘી ફાર્મથી કેવળ ઈંડાઓનો ધ્યેય નથી, બલકે ખુદ મરઘીઓ અને બચ્ચાંઓને વેચવાનો મકસદ છે, તો આવી શકલ–સૂરતમાં વરસ પૂરું થવા પર તે મરઘીઓ અને બચ્ચાંઓની કિંમત પર ઝકાત ફર્ઝ  થશે, કેમ કે તે ખુદ તિજારતનો માલ છે. (અહસનુલ ફતાવા : ૪/૩૦૦, કિતાબુલ ફતાવા ૩/૩૪૬, મુહકકક વ મુદલ્લલ જદીદ મસાઇલ : ૧પ૧, કિતાબુલ મસાઇલ : ર/૧૪૦, ૧૪૧, મહમૂદુલ ફતાવા ર/૪૪–ગુજરાતી)

Log in or Register to save this content for later.