ઝકાત વાજિબ થવાની શર્તો

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 34)

ઝકાત ફર્ઝ થવા માટે નીચેની શર્તો મોજૂદ હોવી અનિવાર્ય છે :

(૧) નિસાબ મુજબ માલ હોય (અર્થાત સોનાનો નિસાબ ૮૭ ગ્રામ અને ૪૮૦ મિલીગ્રામ અને ચાંદીનો નિસાબ ૬૧ર ગ્રામ અને ૩૬૦ મિલીગ્રામ).

(૨) મિલ્કિયત–કબજો સંપૂર્ણ હોય (એટલા માટે જે માલ પોતાના કબજામાં ન હોય, તરત જ અથવા અત્યારે તેની ઝકાતની માંગણી નથી.)

(૩) નિસાબ અસલી જરૂરતોથી વધુ હોય (વપરાશમાં આવતી સાધન–સામગ્રી પર ઝકાત નથી).

(૪) નિસાબ કર્ઝ (દેવું)થી ખાલી હોય (અર્થાત કર્ઝની રકમની બાદબાકી કર્યા પછી નિસાબ સંપૂર્ણ માનવામાં આવે).

(૫) વૃદ્ધિ પામતો માલ હોય (અર્થાત એવો માલ હોય, જેમાં ઉન્નતિની ક્ષમતા હોય, ભલેને તે પોતાની ઉત્પત્તિ (રચના)ના રૂએ હોય જેમ કે સોનું–ચાંદી અથવા કર્મના રૂએ હોય જેમ કે વેપારનો માલ, જાનવર વગેરે) (કિતાબુલ મસાઇલ : ર/૧૩ર)

Log in or Register to save this content for later.