અહાદીસની રોશનીમાં ઝકાત ન આપવા પર વઈદ

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 32)

(૧)  રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ઇરશાદ ફરમાવ્યો  : જે કોમ ઝકાત કાઢતી નથી, અલ્લાહ તઆલા તે કોમને દુષ્કાળ (અર્થાત જીવન જરૂરિયાતની વસ્તુઓની મોંઘવારી)માં સપડાવી મૂકે છે.    (જમ્ઉલ ફવાઇદ : ૧/૧૪૩)

(૨)  હુઝૂરે અકરમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : જે કોમને અલ્લાહ તઆલા માલ આપે અને તેણે તેની ઝકાત અદા ન કરી, તો કિયામતના દિવસે તેના માલને બહુ મોટો ઝેરીલો ટાલિયો સાપ બનાવવામાં આવશે અને તે સાપ તેની ગરદનમાં લપેટી દેવાશે, પછી તેના બંને જડબાંને નોચશે અને કહેશે : હું જ તારો માલ છું, હું જ તારો ખજાનો છું. (બુખારી શરીફ : ૧/૧૮૮)

(૩)  આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : દરરોજ સવારે બે ફરિશ્તાઓ આકાશેથી ઊતરે છે. એક આ દુઆ કરે છે કે, હે અલ્લાહ ! સખીને તેના માલનો બદલો અતા ફરમાવ. બીજો દુઆ કરે છે કે, હે અલ્લાહ ! કંજૂસને બરબાદી નસીબ કર. (મુસ્લિમ શરીફ : ૧/૩રપ)

(૪)  એક વાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ બે ઔરતોના હાથમાં સોનાની બંગડીઓ જોઈને ફરમાવ્યું : શું તમને આ પસંદ છે કે તેના અવેજમાં તમને આગની બંગડીઓ પહેરાવવામાં આવે. તેણીઓએ અરજ કરી : નહીં. તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું : તેની ઝકાત આપ્યાં કરો. (તિરમિઝી શરીફ : ૧/૧૩૮)

Log in or Register to save this content for later.