Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 87)
મુઅતકિફે નીચેના નિયમોની પાબંદી કરવી જોઇએ, કેમ કે તે દરબારે ખુદાવંદીમાં આ જ હેતુ માટે હાજર થયો છે, તેની એક–એક પળ અત્યંત કિંમતી છે.
(૧) મગરિબની નમાઝ પછી ઓછામાં ઓછી છ રકા’ત નફલ અને વધુમાં વધુ વીસ રકા’ત નફલ અવ્વાબીન અદા કરે. પછી આયતુલ કુર્સી અને ચાર કુલ (સૂરએ કાફિરૂન, સૂરએ ઇખ્લાસ, સૂરએ ફલક અને સૂરએ નાસ) પછી બદન પર દમ કરે, ત્યાર પછી થોડું ખાણું ખાઇ લે અને થોડો આરામ કરે અને પછી ઇશાની નમાઝની તૈયારી અને પહેલી સફમાં તકબીરે ઊલાનો બંધ કરે.
(ર) ઇશાની નમાઝ અને તરાવીહથી ફારિગ થઇ ઇલ્મે દીન હાસિલ કરવા અને તેના પર અમલ કરવાની નિય્યતથી કોઇ આધારભૂત અને ભરોસાપાત્ર કિતાબોનો મુતાલઅહ (અધ્યયન) કરે અથવા કોઇ પ્રમાણભૂત અને વિશ્વસનીય આલિમે દીનના દર્સમાં હાજરી આપે, જો દર્સ થતો હોય. તદુપરાંત, શબે કદ્રમાં વાંચનથી ફારિગ થઇ જ્યાં સુધી તબિઅત ફુલ્લ રહે, ઝિક્ર–તિલાવત અને નવાફિલમાં મશગૂલ રહે અને જયારે સૂવાનું દિલ ચાહે તો પૂરી રીતે સુન્નતના મુજબ કિબ્લા બાજુ મોં કરી (જો શકય હોય તો) સૂઇ જાય.
(૩) સુબ્હે સાદિકથી લગભગ દોઢ કલાક પૂર્વે બેદાર થઇ જાય. તબઇ જરૂરતથી ફારિગ થઇ સુન્નતના મુતાબિક વુઝૂ કરે અને તહિય્યતુલ મસ્જિદ, તહિય્યતુલ વુઝૂ અને તહજુદની નફલો અદા કરે અને નવાફિલથી ફારિગ થઇ થોડોક વખત ખામોશીથી ઝિક્ર, તસ્બીહમાં મશગૂલ રહે, પછી ખામોશીથી ખૂબ રડી રડીને સઘળા મકાસિદે હસનહ (સારા હેતુઓ) અને ફલાહે દારૈન (બંને જહાંની સફળતા)ની દુઆ માંગે.
(૪) સુબ્હે સાદિકથી પોણો કલાક પહેલાં સહરી ખાઇ લે અને સહરીથી ફારિગ થઇ ફજરની નમાઝની તૈયારી કરે. સફે ઊલા અને તકબીરે ઊલાનો ખ્યાલ રાખે. જ્યાં સુધી નમાઝની તીવ્ર (ઇન્તિઝાર)માં રહે, ઇસ્તિગફાર કરતો રહે.
(પ) ફજરની નમાઝ પછી આયતુલ કુર્સી અને સુબ્હાનલ્લાહ, અલ્હમ્દુ લિલ્લાહ, અલ્લાહુ અકબર, અસ્તગ્ફિરુલ્લાહ અને દુરૂદ શરીફની એક–એક તસ્બીહ પઢે.
(૬) ઇશરાકના સમયે ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ આઠ રકા’ત અદા કરે. પછી આરામ કરે અને ચાશ્તના સમયે બેદાર થઇ ઓછામાં ઓછી બે રકા’ત અને વધુમાં વધુ બાર રકા’ત નફલ ચાશ્તની પઢે અને જેટલું શકય હોય સહીહ ઉચ્ચાર સાથે કુર્આને મદની તિલાવત કરે.
(૭) જયારે સૂર્ય નમવા લાગે તો ચાર રકા’ત સુનને ઝવાલ અદા કરે અને ઝોહરની નમાઝના ઇન્તિઝાર (તીવ્ર)માં પહેલી સફમાં બેસે અને તકબીરે ઊલાનો પ્રબંધ કરે. ઝોહરની નમાઝથી ફારિગ થઇ સલાતુસ્બીહ પઢે અને તિલાવત કરે. પછી કંઇક થાક અનુભવે તો થોડોક આરામ કરે.
(૮) અસરની નમાઝથી અડધો કલાક પહેલાં બેદાર થઇ જાય, વુઝૂ કરી તહિય્યતુલ વુઝૂ અને બીજી નવાફિલ પઢી અસરની રાહ જુએ અને અસરથી ફારિગ થઇ થોડીક તિલાવત કરે અને તે તસ્બીહાત અદા કરે જેનો ઉલ્લેખ નંબર પાંચમાં ગુજર્યો. પછી દરેક પ્રકારે દુઆમાં મશગૂલ રહે. આ સમય અત્યંત મૂલ્યવાન છે, તેને ઇફતારીની તૈયારીમાં બરબાદ થવા ન દે.
(૯) જે વાતો હાલતે એતિકાફમાં મકરૂહ અને મના છે તેનાથી સંપૂર્ણ રીતે પરહેઝ કરે, જેની વિગત મકરૂહાતે એતિકાફમાં ગુજરી છે, તેને ફરીવાર ધ્યાનથી વાંચી લો.
(૧૦) મુઅતકિફ પર લાઝિમ છે કે પહેલી સફમાં તે આવી બેસે, પોતે જ્યાં હોય અને રૂમાલ અથવા ચાદર વગેરેથી જગ્યા રોકે, આવું ન કરે અને પોતાની કહેણી અને કરણી, ઊઠવા અને બેસવા અને અમલના ઢંગથી બીજા મુઅતકિફો અને નમાઝીઓને તકલીફ પહોંચવાથી બચવાનો પ્રબંધ કરે, પોતાની સફાઇનો પણ ખાસ ખ્યાલ રાખે અને મસ્જિદની સફાઇનો પણ ઘણો એહતિમામ રાખે. પોતાની અને બીજા ભાઇઓથી માફી–મગફિરતની તનતોડ કોશિશ કરે. રહમતનો ઉમ્મીદવાર રહે, નિરાશાને કદાપિ તક ન આપે.
Log in or Register to save this content for later.