Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 67)
મસ્અલહ : જો મસ્જિદ બહુમાળી હોય તો તેની દરેક મંઝિલમાં એતિકાફ થઇ શકે છે અને કોઇ એક મંઝિલમાં એતિકાફ કર્યા પછી બીજી મંઝિલ પર જઇ શકે છે. શર્ત એ કે ચડવા–ઉતરવાની સીડી (દાદર) મસ્જિદની અંદર હોય, મસ્જિદની હદની બહાર ન હોય. જો મસ્જિદની હદની બહાર બે–ચાર પગથિયાં પણ હશે તો જવું જાઇઝ નથી. (શામી : ૩/૩૩૮)
મસ્અલહ : શરઇ જરૂરતો (દા. ત. જુમ્અહની નમાઝ માટે જવું) કુદરતી જરૂરતો (દા.ત. પેશાબ–પાખાના અને નાપાકીનું ગુસલ કરવા) માટે જવું જાઇઝ છે, આ તે જ અલગ થઇ જાય છે. તેની અલગથી નિય્યત કરવાની જરૂરત હોતી નથી. અર્થાત જરૂરત નથી કે એતિકાફ કરતી વેળા નિય્યતમાં શર્ત લગાવો કે, હું જુમ્અહ યા પેશાબ–પાખાના માટે જઇશ. શરીઅતે તે જ ઇજાઝત આપી છે. એટલા માટે તે જ અલગ થઇ જાય છે. (શામી : ૩/૩૮૭, ૩૮૮, મિઉર્રુમૂઝ : ૩૭૮)
Log in or Register to save this content for later.