એ’તિકાફની જગાના મસાઇલ

Chapter : મસાઈલે એ'તિકાફ

(Page : 62)

નીચે જે મસાઇલ લખવામાં આવે છે તે પુરુો માટે છે, ઓરતોના સંબંધિત જે ખાસ મસાઇલ છે તે આગળ આવી રહયા છે.

મુઅતકિફે એતિકાફમાં બેસતાં પહેલાં જોઇ લેવું કે, તે એતિકાફના ત્રણ પ્રકાર અર્થાત વાજિબ, મસ્નૂન અને મુસ્તહબમાંથી કયો એતિકાફ કરવા ઇચ્છે છે અને જે મસ્જિદમાં બેસવા માંગે છે તે મસ્જિદમાં દુરુસ્ત થાય છે  યા નહિ ?

મસ્અલહ : મસ્નૂન અને વાજિબ એતિકાફ માટે એવી મસ્જિદ હોવી જરૂરી છે, જેમાં પાંચ વખતની નમાઝ કાયદેસર બા–જમાઅત થતી હોય.    (બદાઇઅ : ર/ર૮૦)

મસ્અલહ : જે મસ્જિદમાં ત્રણ–ચાર વખતની કાયદાકીય જમાઅત થાય છે, કોઇ એક વખતની જમાઅત થતી નથી તો આવી મસ્જિદમાં વાજિબ અને મસ્નૂન એતિકાફ દુરુસ્ત નહિ થાય, ફકત નફલી એતિકાફ થઇ શકે છે.                                  (બદાઇઅ : ર/ર૮૦)

મસ્અલહ : પુરુ માટે દરેક પ્રકારના એતિકાફ વાસ્તે મસ્જિદનું હોવું જરૂરી છે. જો પુરુ ઘરમાં એતિકાફ કરશે તો તેનો એતિકાફ દુરુસ્ત નહિ ગણાય. (બદાઇઅ : ર/ર૮૦)

Log in or Register to save this content for later.