Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 54)
સાધારણ હાલાતમાં એવી મસ્જિદમાં એતિકાફ કરવો અફઝલ છે, જ્યાં જુમ્અહની નમાઝ થતી હોય, કારણ કે જુમ્અહ પઢવા માટે મસ્જિદની બહાર જવું ન પડે અને આ મસ્જિદ મહોલ્લા અને પોતાના શહેરમાં હોય તો બેહતર છે, પરંતુ જો કોઇ ભલાઇ ખાતર બીજા મહોલ્લાની મસ્જિદમાં અથવા બીજા કોઇ શહેરમાં જઇ એતિકાફ કરવામાં આવે તો તેમાં પણ શરઇ દષ્ટિએ કોઇ વાંધો નથી, જેમ કે આજકાલ મશાઇખ પોતાના સંબંધીઓ અને મુરીદો સાથે એતિકાફ કરે છે તો તેમાં એતિકાફની સાથે સાથે તેમની કેળવણી પણ મકસૂદ હોય છે અને આ સામૂહિક એતિકાફ કેળવણી મંડળનું સ્વરૂપ ધારણ કરી લે છે. શર્ત એ કે આ અમલ કેવળ રસ્મી અને રિવાજ ન હોય, બલકે દીની ફાયદાને નજર સમક્ષ રાખી કરવામાં આવે, જેમ કે પયગંબર સાહેબ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ શબે કદ્રની તલાશમાં સહાબ–એ–કિરામ (રદિ.) સાથે મસ્જિદે નબવીમાં સામૂહિક એતિકાફ ફરમાવ્યો હતો. –અનુવાદક (બુખારી શરીફ : ૧/ર૭૧–હદીસ માંક : ૧૯૮ર, મુસ્લિમ શરીફ : ૧/૩૭૦–હદીસ માંક : ર૭૭૧, મલ્ફૂઝાતે ફકીહુલ ઉમ્મત : ૩/૪૬, મસાઇલે એતિકાફ : પ૬, કિતાબુલ મસાઇલ : ર/૧રર)
Log in or Register to save this content for later.