એ’તિકાફના મુફસિદાત

Chapter : મસાઈલે એ'તિકાફ

(Page : 40 to 43)

અમુક વાતો એવી છે કે જેને કરવાથી વાજિબ અને મસ્નૂન એતિકાફ ફાસિદ થઇ જાય છે. યાદ રાખો !  આ હુકમ નફલી એતિકાફનો નથી. તેનો હુકમ નફલી એતિકાફના બયાનમાં કરવામાં આવશે, ત્યાં જુઓ.

મસ્અલહ : મુઅતકિફે રાત–દિવસમાં શરઇ અને તબઇ (પ્રાકૃતિક) જરૂરત વગર પોતાની એતિકાફવાળી મસ્જિદની બહાર નીકળવું જાઇઝ નથી. દરેક સમયે એતિકાફમાં રહે. (આલમગીરી : ૧/ર૧ર)

મસ્અલહ : મુઅતકિફ એક મિનિટ માટે પણ શરઇ અને તબઇ જરૂરત વગર એતિકાફગાહની બહાર           નીકળશે તો ઇમામ અબૂ હનીફા (રહમતુલ્લાહિ અલયહિ)ના નજીક તેનો એતિકાફ ફાસિદ થઇ જશે. (આલમગીરી : ૧/ર૧ર)

મસ્અલહ : શરઇ અને તબઇ જરૂરત વગર જાણીજોઇને અથવા ભૂલથી, દરેક હાલતમાં એતિકાફ તૂટી જશે.        (આલમગીરી : ૧/ર૧ર)

મસ્અલહ : મુઅતકિફના સગાં–સંબંધીઓમાંથી કોઇ સખત બીમાર થઇ જાય યા કોઇની વફાત થઇ જાય તો મુઅતકિફના ચાલ્યા જવાથી એતિકાફ કાયમ નહિ રહે, પરંતુ આવી હાલતમાં જતા રહેવાથી ગુનાહ નહિ થાય, બલકે જો બીમાર માટે મુઅતકિફ સિવાય બીજું કોઇ તીમારદાર (પરિચારક, સારવાર કરનાર) નથી અને બીમારના પ્રાણનો ભય છે તો મુઅતકિફે જતું રહેવું જોઇએ, પછી તેની કઝા કરે. આવી જ રીતે મય્યિત થયું અને ગુસલ, કફન, દફનની વ્યવસ્થા કરનાર બીજું કોઇ નથી, તો એતિકાફમાંથી ઊઠી જવું જોઇએ. પછી કઝા કરે. (બહરુર્રાઇક : ર/૩૦૩)

મસ્અલહ : મુઅતકિફ મય્યિતને નવરાવવા, કફન તૈયાર કરવા, નમાઝે જનાઝહ પઢવા–પઢાવવા, મય્યિતને કાંધ આપવા, દફનમાં શરીક થવા માટે બહાર જતો રહે તો તેનો એતિકાફ તૂટી જશે. સખત જરૂરત વગર એતિકાફ ન તોડે. હા, મુઅતકિફના સિવાય કોઇ વ્યવસ્થા જ ન થઇ શકે તો બેશક, જતો રહે અને બાદમાં કઝા કરે. (આલમગીરી : ૧/ર૧ર)

મસ્અલહ : શરઇ અથવા તબઇ જરૂરતથી બહાર ગયો હતો કે, રસ્તામાં નાણાં ધીરનાર (લેણદાર) યા બીજા કોઇ સાહિબે હકે તેને રોકી લીધો અને મુઅતકિફ પણ ઊભો થઇ ગયો તો ઇમામે આ’ઝમ અબૂ હનીફા (રહ.)ના નજીક તેનો એતિકાફ ફાસિદ થઇ ગયો. એટલા માટે મુઅતકિફ ઊભો ન રહે, બલકે ચાલતાં– ચાલતાં તેનો જવાબ આપે યા મસ્જિદમાં આવવાનું કહે. એક મિનિટ માટે પણ ઊભો થઇ ગયો તો એતિકાફ તૂટી જશે.   (આલમગીરી : ૧/ર૧ર)

મસ્અલહ : મુઅતકિફ પોતે સખત બીમાર થઇ ગયો અને મસ્જિદમાં થોભવું મુશ્કેલ થઇ ગયું તો ઘરે જઇ શકે છે. જતાં રહેવાથી એતિકાફ તૂટી જશે. બાદમાં કઝા કરે, પરંતુ ગુનેહગાર નહિ થાય.           (બહરુર્રાઇક : ર/૩૦૩)

મસ્અલહ : મુઅતકિફને પોતાની જાન યા માલનો સખત ખતરો હોય, ઘરમાં કોઇના ન–માલ અને આબરૂનો ખરેખર ખતરો હોય, જેને દૂર કરવા એતિકાફની  હાલતમાં તાકાત ન ધરાવે તો આવી સૂરતમાં ઘરે ચાલ્યો જાય. ગુનેહગાર નહિ થાય, પરંતુ એતિકાફ તૂટી જશે. (આલમગીરી : ૧/ર૧ર)

મસ્અલહ : કોઇ હાકિમ યા ગેર હાકિમે બળજબરી– પૂર્વક મુઅતકિફને બહાર કાઢયો, દા.ત. સરકારી વોરંટ આવી ગયો યા જબરદસ્તી નાણાં ધીરનાર બહાર ખેંચી ગયો તો એતિકાફ ફાસિદ થઇ જશે, પરંતુ મુઅતકિફ ગુનેહગાર નહિ થાય. (આલમગીરી કમ કાઝીખાન : ૧/રરર)

મસ્અલહ : મસ્જિદ પડવા લાગે અને દબાઇ જવાનો ભય હોય અથવા કોઇ આદમી કૂવામાં પડી ગયો અને ડૂબી રહયો હોય અથવા આગમાં પડી ગયો યા પડવાનો ખતરો હોય તો મુઅતકિફે મસ્જિદમાંથી નીકળી જવું ગુનાહ નથી, બલકે પ્રાણ બચાવવાના મકસદે વાજિબ છે, પરંતુ એતિકાફ બાકી નહિ રહે. (બિનાયહ : ૪/૧ર૯, મરાકિયુલ ફલાહ : ૩૮૩, તાતારખાનિયહ : ૩/૪૪પ–ઝક. દેવબંદ, ઇલ્મુલ ફિકહ : ર/૪૬પ)

એક હિદાયત

મજકૂર મસાઇલમાં મુઅતકિફે મસ્જિદની બહાર નીકળતાં પહેલાં પોતાના મુખલિસ અને અનુભવી દોસ્તોથી મશવેરો લેવો જોઇએ. જો કોઇ આયોજન એવું થઇ શકતું હોય કે તે નીકળ્યા વગર કામ થઇ જતું હોય તો તે કામ તે ન કરે અને મા’મૂલી ખતરાથી ગભરાઇ એકદમ બહાર નીકળી જવું દુરુસ્ત નથી. ખરેખર, જો કોઇ અસહય યા સખત ખતરો હોય તો એતિકાફ તોડી દેવો જોઇએ.

જો મુઅતકિફનો કોઇ કેસ અદાલતમાં ચાલતો હોય અને એતિકાફના દરમિયાન અદાલતમાં હાજરીની તારીખ પેશ આવી જાય અને ગેરહાજરીની હાલતમાં સખ્ત નુકસાનનો ખતરો હોય અથવા કેસમાં સાક્ષીની જરૂરત હોય અને મુઅતકિફ સિવાય કોઇ સાક્ષી આપનાર મવજૂદ ન હોય તો આવી કપરી પરિસ્થિતિમાં જરૂરતને અનુરૂપ સાહિબૈન (અર્થાત ઇમામ અબૂ યૂસુફ અને ઇમામ મુહમ્મદ રહિમહુમલ્લાહુ તઆલા)ના મંતવ્ય પર અમલ કરતાં આવા મુઅતકિફ માટે મસ્જિદની બહાર જવાની ગુંજાઇશ છે. (ફત્હુલ કદીર : ર/૩૯૬–બૈરૂત, અુર્રુલ મુન્તકા : ૧/૩૭૮, મરાકિયુલ ફલાહ કમ તહતાવી : ૩૮૩)

નોંધ : આ મસ્અલહ વિશે મંતવ્ય આ છે કે શહાદત આપવા માટે મુઅતકિફનું મસ્જિદની બહાર આવવું કોઇ પણ ભોગે એતિકાફને ફાસિદ કરનાર છે. આ અલગ વાત છે કે, જરૂરતને અનુલક્ષી આગળ ધપવાથી તે ગુનેગાર નહિ થાય.  – અનુવાદક (ફત્હુલ કદીર : ર/૩૯૬, કિતાબુલ મસાઇલ : ૧/૧૧૩)

મસ્અલહ : મુઅતકિફ શખ્સ જો વોટ–મત આપવા માટે મસ્જિદની બહાર નીકળશે તો તેનો એતિકાફ તૂટી જશે, કેમ કે આ કોઇ મોભાદાર જરૂરતમાં દાખલ નથી. – અનુવાદક (બહરુર્રાઇક : ર/૩૦ર, આલમગીરી : ૧/ર૧ર, ખાનિયહ : ૧/રરર, દુર્રે મુખ્તાર–ઝક. દેવબંદ : ૩/૪૩૭, ફતાવા મહમૂદિય્યહ–મેરઠ : ૧પ/૩૦૦, કિતાબુલ મસાઇલ : ૧/૧૧૭)

મસ્અલહ : જો કોઇ ડોકટર યા હકિમ મુઅતકિફ હોય અને અચાનક તેનાથી કોઇ બીમાર મળવા આવી          જાય અને તેને ચેક કરી દઇ નુસખો વગેરે લખી આપે તો તેમાં કોઇ વાંધો નથી, પરંતુ જો મજકૂર મુઅતકિફ       એતિકાફની હાલતમાં મસ્જિદને પોતાનું દવાખાનું બનાવી લે કે ત્યાં બીમારોની કાયદાકીય ભીડ થવા લાગે તો આ જાઇઝ નથી. – અનુવાદક (આલમગીરી : ૧/ર૧૩, ૩ર૧, શામી : ર/૪૩૬, ૪૪ર–ઝક. દેવબંદ, કિતાબુલ મસાઇલ : ૧/૧૧૭,૧૯)

મસ્અલહ : મુઅતકિફ જેવી રીતે સામ સામે કોઇથી જરૂરી વાત કરી શકે, એવી જ રીતે મોબાઇલ પર જરૂરી વાતચીત તેના માટે મુબાહ છે. અલબત્ત, વગર કારણે અને વગર જરૂરતે દુનિયાની વાતોથી કોઇ પણ રીતે સાવચેતી દાખવે.  – અનુવાદક (આલમગીરી : ૧/ર૧ર, બહરુર્રાઇક : ર/૩૦૪, ફત્હુલ કદીર : ર/૩૯૮, શામી : ૩/૪૪૧, ૪૪ર–ઝક. દેવબંદ, કિતાબુલ મસાઇલ : ૧/૧૧૮)

મસ્અલહ : મુઅતકિફ ભૂલી ગયો અને ખ્યાલ જ ન રહયો કે હું એતિકાફમાં છું અને મસ્જિદની બહાર          નીકળી ગયો. ચાહે તરત એતિકાફ યાદ આવી ગયો યા થોડીક વાર પછી, તો એતિકાફ ફાસિદ થઇ જશે. અલબત્ત, ગુનેહગાર નહિ થાય. (આલમગીરી કમ કાઝીખાન : ૧/રરર)

મસ્અલહ : એતિકાફની હાલતમાં સંભોગ કરવાથી દિવસ–રાતમાં, ભૂલથી યા જાણીબુઝીને, ચાહે ઇન્ઝાલ (વીર્યસ્ખલન) થયું હોય યા ન થયું હોય, દરેક હાલતમાં એતિકાફ ફાસિદ થઇ જશે. (આલમગીરી કમ કાઝીખાન : ૧/રરર)

મસ્અલહ : મુઅતકિફે શર્મગાહ સિવાય પત્નીના બીજા બદનના હિસ્સા સાથે મુબાશરત (હમબિસ્તરી) કરી અથવા ચુંબન કર્યુ અને વીર્ય નીકળ્યું તો એતિકાફ ફાસિદ થશે, નહિતર એતિકાફ તૂટશે નહિ. (આલમગીરી કમ કાઝીખાન : ૧/રરર)

મસ્અલહ : મુઅતકિફે કોઇ અજનબી ખાતૂન યા મરદ પર ખરાબ નજર નાખી અથવા ખરાબ વિચારોમાં મગ્ન થઇ ગયો તો એતિકાફ ફાસિદ નહિ થાય. ચાહે વીર્ય નીકળે યા ન નીકળે. (આલમગીરી કમ કાઝીખાન : ૧/રરર)

આમ તો આ બધા કામો હરામ છે. મુઅતકિફે સખત સાવચેતી દાખવવી જોઇએ.

મસ્અલહ : મુઅતકિફ કોઇની સાથે ઝઘડી પડયો અને ખુદા ન કરે, ગાળો પણ ભાંડી તો એતિકાફ ફાસિદ નહિ થાય, પરંતુ ગુનેહગાર થશે. (આલમગીરી કમ કાઝીખાન : ૧/રર૩)

મસ્અલહ : મુઅતકિફ મસ્જિદમાં રહી બહાર ફકત માથું યા હાથ કાઢે તો એતિકાફ ફાસિદ નહિ થાય.  (આલમગીરી કમ કાઝીખાન : ૧/રર૩)

મસ્અલહ : મુઅતકિફ થૂંકવા, નાક સાફ કરવા, ખાતાં પહેલાં અને બાદમાં હાથ ધોવા, કોગળા કરવા માટે મસ્જિદની બહાર ન જાય, વુઝૂ કરવાની જગ્યાએ પણ ન ય. મસ્જિદમાં વ્યવસ્થા થઇ શકે છે, થૂંકદાની અથવા કોઇ વાસણમાં થોડી રાખ વગેરે નાખી રાખી મૂકે. તેમાં થૂંકે, નાક સાફ કરે, સલફચી (ચલમચી) અથવા વાસણમાં હાથ ધોવે. વુઝૂની નાળીમાં એવી રીતે ઊભો રહે કે પગ મસ્જિદની સહન (ચોગાન)માં રહે અને નાક અથવા ધોવણ નાળીમાં પડે. કેમ કે માથું અને હાથને મસ્જિદમાં રાખી બહાર કાઢી શકે છે.            (બહરુર્રાઇક : ર/૩૦૩)

મસ્અલહ : મુઅતકિફ ગરમીથી બચવા માટે અને ઠંડીમાં તડકો લેવા માટે મસ્જિદની બહાર જશે તો એતિકાફ ફાસિદ થશે. (બહરુર્રાઇક : ર/૩૦ર)

મસ્અલહ : મુઅતકિફે ખાવા મંગાવવાની વ્યવસ્થા કરી લેવી જોઇએ. ચાહે ઘરેથી કોઇ લઇ આવે અથવા હોટલવાળાને કહી આપે. યારે વ્યવસ્થા થઇ જાયતો મુઅતકિફનું તે ખાવા લેવા માટે બહાર જવું જાઇઝ નથી. જો ચાલ્યો જશે તો એતિકાફ ફાસિદ થઇ જશે. (બહરુર્રાઇક : ર/૩૦૩)

મસ્અલહ : મુઅતકિફ માટે કોશિશ કરવા છતાં ખાવા લાવવાની વ્યવસ્થા ન થઇ શકી, તો તે જ ઘરેથી અથવા હોટલથી ખાવા લઇ આવવું દુરુસ્ત છે, પરંતુ વિના જરૂરતે ત્યાં ન થોભે. ઓછામાં ઓછું એટલું તો કહી શકે છે કે ફલાણા સમય પર ખાવા લેવા આવીશ. કેમ કે હોટલ– વાળો ખ્યાલ રાખે અને તેને બધાથી પહેલાં ફારિગ કરી આપે અને આ ખાવા લાવવું સૂરજ ગુરૂબ થયા પછી દુરુસ્ત છે. ગુરૂબથી પહેલાં કદી પણ જાય નહિ. કેમ કે ગુરૂબે આફતાબ પહેલાં જરૂરત સાબિત થતી નથી અને ત્યાર પછી સહરીના છેલ્લા સમય સુધી જવાનો અખત્યાર છે,  બાદમાં નથી. ખાણું મસ્જિદમાં લાવી ખાવું જોઇએ.                          (બહરુર્રાઇક : ર/૩૦૩)

નોંધ : ઉપરોત વિગતથી જણાયું કે જે લોકો હરમૈન શરીફૈનમાં રમઝાનુલ મુબારકમાં એતિકાફ કરવાની સઆદત હાસિલ કરે છે, જો તેઓ મગરિબ પછી નજીકની હોટલ પર જઇ ખાવા ખાઇ આવે અથવા બહારની સહનમાં નીકળી ખાવા ખાય તો તેમાં કોઇ વાંધો નથી, કેમ કે આ તબઇ જરૂરતમાં દાખલ છે.  –  અનુવાદક  (કિતાબુલ મસાઇલ : ર/૧૦૯)

મસ્અલહ : કોઇ શખ્સ મુઅતકિફનું ખાવા લાવે છે, પરંતુ નખરાં વધુ કરે છે તો આવી સૂરતમાં મુઅતકિફે તે જઇ લાવી શકે છે. આવી જ રીતે મહેતાણું વધારે માંગે તો પણ તે લાવી શકે છે.

મસ્અલહ : મુઅતકિફને સખત તરસ લાગી છે, મસ્જિદમાં પાણી નથી, ન કોઇ લાવી દેનાર છે તો તે મસ્જિદની બહાર જઇ જ્યાંપાણી જલદી મળતું હોય ત્યાંથી લાવી શકે છે. જો પાણીનું વાસણ ન હોય તો તે જગાએ પીને પણ આવી શકે છે. ગરમીમાં કયારેક આવી સૂરત સહરીના વખતે પેશ આવી શકે છે.(બહરુર્રાઇક : ર/૩૦૩)

મસ્અલહ : મુઅતકિફ દિવસે ણીબુઝીને રોઝહ તોડી નાખે તો એતિકાફ પણ તૂટી જશે અને રોઝહમાં ભૂલથી ખાઇ લે તો રોઝહની સાથે–સાથે એતિકાફ પણ તૂટશે નહિ. (બહરુર્રાઇક : ર/૩૦૪)

મસ્અલહ : મુઅતકિફ દવા લેવા માટે બહાર જાય તો એતિકાફ તૂટી જશે. દવા કોઇ બીજી વ્યક્તિ સાથે મંગાવી લેવી જોઇએ. ડોકટરને બતાવવું હોય તો મસ્જિદમાં બોલાવે. (એતિકાફકે ફઝાઇલ વ મસાઇલ)

મસ્અલહ : દિવસ–રાતમાં મુઅતકિફને એહતિલામ (સ્વપ્નદો) થઇ જાયતો એતિકાફ તૂટશે નહિ. ભલેને ગમે તેટલી વખત થાય.  (આલમગીરી : ૧/ર૧૩)

ગુસલના અહકામ આગળ આવી રહયા છે, ત્યાં જુઓ.

મસ્અલહ : મુઅતકિફ કોઇની વસ્તુ ચોરી લે યા માલિકની ઇજાઝત વગર ખાઇ લે તો એતિકાફ તૂટશે નહિ. અલબત્ત, ગુનેહગાર થશે. (આલમગીરી : ૧/ર૧૩)

મસ્અલહ : મુઅતકિફ બેભાન થઇ જાય યા પાગલ થઇ જાય યા જિન–ભૂતની અસરથી બે–અકલ થઇ જાય અને એક દિવસ–રાતથી વધુ આ જ પરિસ્થિતિ રહે તો એક દિવસનો વિલંબ થઇ ગયો. સાતત્ય બાકી ન રહયું. એટલા માટે એતિકાફ ફાસિદ થશે અને જો એક રાત–દિવસ ગુજર્યા પહેલાં જ હોશમાં આવી ગયો તો એતિકાફ ફાસિદ થશે નહિ. (આલમગીરી : ૧/ર૧૩)

Log in or Register to save this content for later.