મહોલ્લાની મસ્જિદમાં એ’તિકાફ કરવો અફઝલ છે

Chapter : મસાઈલે એ'તિકાફ

(Page : 29)

હુકૂકના આધારે પોતાની મસ્જિદે મહોલ્લાનો જ વધારે હક છે કે તેમાં જ એતિકાફ કરવામાં આવે, કેમ કે એતિકાફ તરાવીહ બા–જમાઅત સમાન છે. જેવી રીતે મહોલ્લાની મસ્જિદમાં મહોલ્લાવાળાઓના ઝિમ્મે તરાવીહ બા–જમાઅત કાયમ કરવી સુન્નત અલલ કિફાયહ છે. જો મહોલ્લાવાળાઓ તરાવીહ બા–જમાઅત છોડી આપે તો સુન્નત છોડવાનો બધાને ગુનાહ લાગુ પડશે, એવી જ રીતે મોટા શહેરના દરેક મોટા મહોલ્લામાં બિલકુલ કોઇ એતિકાફ ન કરે તો બધા જ સુન્નતને છોડનાર ગણાશે અને જે માણસ મહોલ્લામાંથી એતિકાફ કરશે તો તેને એતિકાફનો સવાબ પણ મળશે અને મહોલ્લાવાળાઓને સુન્નત છોડવાના વબાલથી બચાવવાનો તેને અલગ સવાબ મળશે અને તેના એતિકાફ કરવાથી બધા ગુનાહથી બચી જશે. એટલા માટે મહોલ્લાવાળાઓનો વધુ હક છે કે તેમને ગુનાહથી બચાવવામાં આવે. બ–નિસ્બત બીજા મહોલ્લાવાળાના, તેમના પર અલગ સુન્નત અલલ કિફાયહ છે. એટલા માટે પોતાના મહોલ્લાની મસ્જિદમાં એતિકાફ કરવો          બેહતર છે. (આલમગીરી : ૧/ર૧૧, શામી : ૩/૩૮૧, ૩૮ર,  મિઅર્રુમુઝ : ૩૭૬)

Log in or Register to save this content for later.