Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 23)
“ આકિલ હોવું ” આ બાજુ ઇશારો છે કે મુઅતકિફનું બાલિગ હોવું જરૂરી નથી. જો નાબાલિગ છોકરો સમજદાર હોય તો તેનો એતિકાફ પણ દુરુસ્ત થઇ જાય છે. (મરાકિયુલ ફલાહ : રપ૭ )
“ મરદ અને ઓરતનું નાપાકીથી પાક હોવું ” આ શર્ત એતિકાફના હલાલ અને જાઇઝ હોવા માટે છે. જેનો ખુલાસો એ કે એતિકાફ મસ્જિદમાં થાય છે અને નાપાકીની હાલતમાં મસ્જિદમાં જવું હરામ છે, એટલા માટે મુઅતકિફનું નાપાકીથી પાક હોવું જરૂરી છે, પરંતુ જો કોઇ આ હાલતમાં એતિકાફ કરશે તો એતિકાફ દુરુસ્ત થશે. જો કે નાપાકીની હાલતમાં મસ્જિદમાં દાખલ થવાનો અને થોભવાનો મોટો ગુનાહ થશે. (ઇલ્મુલ ફિકહ : ર/૪૬ર)
”ઓરતનું હૈઝ અને નિફાસથી ખાલી હોવું” આ શર્ત સુન્નત અને વાજિબ એતિકાફના સહીહ હોવા માટે છે, જેનો ખુલાસો એ કે વાજિબ અને સુન્નત એતિકાફમાં રોઝહ જરૂરી છે અને હૈઝ, નિફાસની હાલતમાં રોઝહ હોતો નથી. જો આ જ હાલતમાં એતિકાફ કર્યો તો સહીહ થશે નહિ. (ઇલ્મુલ ફિકહ : ર/૪૬ર)
જો કોઇ ઓરતને એતિકાફ દરમિયાન હૈઝ યા નિફાસ આવે તો તેણે એતિકાફથી ઊઠી જવું જોઇએ. જો એતિકાફ વાજિબ હતો તો ઓરતે તે એતિકાફની કઝા કરવી લાઝિમ છે. (શામી : ૩/૩૮૬)
વાજિબ અને સુન્નત એતિકાફમાં હૈઝ યા નિફાસ આવવા પર એતિકાફની કઝા કરવાની પૂરી વિગત આગળના પેજોમાં ઓરતોના મસાઇલમાં આવી રહી છે, ત્યાં જુઓ.
Log in or Register to save this content for later.