Chapter : નિકાહને લગતા વિવિધ મસાઈલ
(Page : 315)
સવાલ (૪૯૭–૧૦૭) :–(૧) જે ઓરત પોતાના પતિને કાબૂમાં લેવા માટે તાવિજ ઈસ્તેમાલ કરે એ વિષે શરીઅતનો શું હુકમ છે ?
(ર) પતિની નાફરમાની કરે અને પતિની આવકનો વિચાર કર્યા વિના પતિને વધુ ખર્ચમાં નાંખવાનો પ્રયત્ન કરે;
(૩) પતિનો બાપ હયાત હોવા છતાં પતિને એના બાપની માલ– મિલકતમાંથી ભાગ પડાવવાનો કે ખોટા ઝઘડા કરાવી અલગ કરવાનો કે કરાવવાનો પ્રયત્ન કરે;
(૪) પત્નિ પોતાના પિયર જાય અને પછી તેણીને બાળક થયા પછી પતિને ખબર ન આપે અને પતિના દાગીનાઓ જે પત્નિ પાસે છે તેને પચાવી જવાની કોશીષ કરે;
(પ) પતિ પત્નિને બોલાવી જાય ત્યારે પત્નિ આવવા માંગતી નથી અને કહે મને દાગીના પહેરાવવામાં આવ્યા નથી એમ જુઠું બોલી પતિને શર્મિંદા કરે તો એવી પત્નિના માટે શરીઅતનો શું હુકમ છે ?
જવાબ (૪૯૭–૧૦૭) :–(૧–ર–૩–૪–પ) એવી પત્નિ નાફરમાન લેખાશે,જેના વિષે સખ્ત વઈદોનું હદીષ શરીફમાં વર્ણન છે,એક હદીષ શરીફમાં છે કે એવી નાફરમાન સ્ત્રીની ઈબાદત કબૂલ થતી નથી,
(મિશ્કાતશરીફઃર૮૩)
બીજી એક હદીષમાં છે કે એવી ઓરત જેનાથી ધણી નારાજ હોય જન્નતની સુગંધ સુંઘશે નહિં,એટલે જન્નતથી બહુ દૂર રહેશે.
પત્નિ ઉપર પતિના ઘણાં હકો છે,હદીષ શરીફમાં છે કે અલ્લાહ તઆલા સિવાય બીજા કોઈના માટે સિજદો જાઈઝ હોય તો તેણીને હુકમ આપવામાં આવતે કે પોતાના ધણીને સિજદો કરે.
(અબૂ દાઉદ શરીફઃ૧/ર૯૧)
ઉપરોકત હદીષ શરીફમાં તેણીને ધણીની તાબેદારી કરવાની અત્યંત તાકીદ છે,જેમાં કોતાહી કરવાથી લા’નત પાત્ર ઠરશે,ખુદાની પનાહ. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.