સુહાગરાત,સુન્નત તરીકા મુજબ.

Chapter : નિકાહને લગતા વિવિધ મસાઈલ

(Page : 314)

સવાલ (૪૯૪–૧૦૪) :–શરીઅતના હુકમ મુજબ સુહાગરાત કેવી રીતે પસાર કરવી જોઈએ ? જેનાથી સવાબનો વધુ હકદાર બને અને સોહબત પણ સવાબ બને.

જવાબ (૪૯૪–૧૦૪) :–શાદી બાદ રાત્રે એકાંતમાં મુલાકાત સમયે દુલ્હાએ દુલ્હનનાં પેશાની ઉપર હાથ મુકી આ દુઆ પઢવી જોઈએ,‘‘અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલુક ખૈરહા વ ખૈર મા જબલ્તહા અલય્હી વ અઉજુબિક મિન શર્રિહા વ શર્રિ મા જબલ્તહા અલૈય્હી  અર્થાત હે ખુદા ! તારાથી સવાલ કરૂ છું આ સ્ત્રીની ભલાઈ અને તેણીની ફિતરતની ભલાઈ,અને તારાથી પનાહ માંગુ છું, તેણીની શરારતથી અને તેણીની ફિતરતની શરારતથી.

                ઉપરોકત દુઆ પછી જયારે સંભોગ કરે ત્યારે આ દુઆ પઢે, ‘‘અલ્લાહુમ્મ જન્નિબનશ શૈતાન વ જન્નિબિશ શૈતાન મા રઝકતના અર્થાત હે ખુદા ! અમોને શૈતાનથી દૂર રાખ,અને જે ઔલાદ તુ હમને આપે તેનાથી શૈતાનને દૂર રાખ,પછી નેક ઔલાદની પ્રાપ્તિ માટે શર્મ સહિત,ચાદર ઢાંકીને સંભોગ કરે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.

(મઝાહિરે હકકઃ૩/રર૯)

Log in or Register to save this content for later.