શાદી માટે કેટલી ઉંમર હોવી જોઈએ ?

Chapter : નિકાહને લગતા વિવિધ મસાઈલ

(Page : 313)

સવાલ( ૪૯૩–૧૦૩) :–દીકરા દીકરીઓની શાદી કેટલી ઉંમરે કરવી જોઈએ ?

જવાબ (૪૯૩–૧૦૩) :–શરીઅતે સગપણ માટે ઉંમર વર્ષ નકકી કર્યા નથી, વાલીઓને ઔલાદ માટે બેહતર કુફુ મળે ત્યારે સગાઈ કરે,તેમાં નેક દીનદારને પસંદ કરવો જોઈએ,જેમકે અલ્લાહના રસૂલ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે,‘‘ફઝફર બિજાતિદ્દીન અર્થાત દીનદાર ઓરત સાથે (શાદી કરી) સફળતા પ્રાપ્ત કર,ચાર હેતુઓને અનુલક્ષીને પુરૂષ નિકાહ કરે છે,(૧) ખુબસૂરતી (ર) હસબ–નસબ, ઉચ્ચ જ્ઞાતિ (૩)  માલ (૪)  દીનદારી.

                મજકૂર ચારેવ હેતુઓમાં દીનદારને સરસાઈ આપવી જોઈએ,આપ (સ.અ.વ.) એ એજ સલાહ આપી છે.                 (મિશ્કાત શરીફ, ર૬૭ )

                ઔલાદના ઉંમર લાયક થયા પછી તકલ્લુફાત અને કુરિવાજોના લઈને નિકાહમાં વિલંબ કરવો જોઈએ નહિં, જેમ બને તેમ નિકાહ જલ્દી કરાવવા જોઈએ, નિહંતર બેઈઝઝતી,ફજેતીનો ભય છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.