નિકાહ પછી છ માસે બાળક જન્મે.

Chapter : નિકાહને લગતા વિવિધ મસાઈલ

(Page : 312)

સવાલ (૪૯૧–૧૦૧) :– એક છોકરીની શાદી તા.ર૧–૪–૭૮ ના રોજ થઈ, તા.૧ર–પ–૭૮ ના રોજ રાતના વિદાયગી થઈ,બે ત્રણ મહીના પછી છોકરી નો હમલ માલુમ પડયો, જેથી છોકરાને શંકા ઉભી થઈ,તા. ૯–૧૧–૭૮ ના રોજ છોકરીને એક તંદુરૂસ્ત પુરા દિવસનો લાગે એવો છોકરો પૈદા થયો, છોકરીનો પતિ એમ કહે છે કે ઔલાદ મારી નથી,મારી સાથે ધોકો થયો છે,જન્મેલ છોકરો તંદુરૂસ્ત અને હયાત છે,તો શરીઅતની રૂએ ઔલાદ કોની કહેવાય ?

જવાબ (૪૯૧–૧૦૧) :– શરીઅત પ્રમાણે નિકાહ પછી ૬ અંકે છ માસે બાળક જન્મે તો ધણીનું કહેવાશે,ભલેને દપંતી પૂર્વ–પશ્ચિમમાં રહેતાં હોય, બન્‍નેવના મેળાપની જાહેરી સૂરત જણાતી ન હોય,પવિત્ર શરીઅત શકય સુધી બાળકને હરામી ઠેરવવાથી પરહેઝ કરે છે,હલાલી ગણાશે,છ માસની અંદર પૈદા થાય તો હરામી લેખાશે.

                આથી સદરહુ પુત્ર,પતિનો કહેવાશે. પરંતુ તે નકાર જ કરતો હોય તો શરઈ પંચ સમક્ષ લેઆન કરે તો નસબ (છોકરો તેનો) સાબિત થશે નહિં, હરામી લેખાશે,તેણીને સોંપી દેવામાં આવે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

( હિદાયાઃ ર/૪૩ર)

Log in or Register to save this content for later.