[૧૮૭ ] ખુત્બહથી પહેલાં બયાનનો હુકમ

Chapter : નમાઝ

(Page : 253)

સવાલ :– જુમ્અહના દિવસે ઈમામ સા. સુન્નત અને અઝાને ખુત્બહના દરમિયાન બયાન કરવા બેસે છે, જ્યારે કે લોકોને હાજત–જરૂરતે જવાનું હોય છે અને ઝરૂરી કામ હોય છે, કેટલાકને ગેસનો આરઝો હોય છે, બીમારો પણ આવે છે. તો શું મજકૂર વખતમાં બયાન કરવું જ જોઈએ. ફર્ઝ છે કે વાજિબ છે ? મૌલ્વી સા. તો લોકોને સુન્નતો પણ ફર્ઝ બાદ પઢવાનું કહે છે કે, તેઓએ મસ્અલહ તેમજ દીનની વાતો સાંભળવી અને સુન્નતો બાદમાં પઢવી.

જવાબ :– જુમ્અહની સુન્નત અને ખુત્બહની અઝાન વચ્ચે બયાન કરવું ફર્ઝ કે વાજિબ નથી. હાં, લોકો ખુશદિલીથી ચાહતા હોય, નમાઝીઓને સુન્નતો પઢવામાં ખલલ ન પડે તો મુખ્તસર બયાન જાઈઝ છે, પણ એને ઝરૂરી સમજવું જાઈઝ નથી, જો નમાઝીઓને સુન્નત પઢવા માટે બયાન બાદ ખુત્બહની અઝાન પહેલાં થોડો સમય આપવામાં આવે તો બેહતર છે.        (ઈ. ફતાવા, ભાગ–૧/૭૦૮)

               જો નમાઝીઓ ચાહતા ન હોય અથવા તેઓને સુન્નત પઢવામાં ખલલ થતો હોય તો તે સમયે બયાન ન કરવામાં આવે.     (શામી, ભાગ–૧/૪૪૪, મિશ્કાત : ૩૩)

               બયાનના લઈ જુમ્અહ પહેલાંની સુન્નતો ફર્ઝ બાદ પઢવાનું કહેવામાં આવે એ દુરૂસ્ત નથી.                   (શામી, ભાગ–૧/૪૮ર)

Log in or Register to save this content for later.