Chapter : વલીમા વિષે
(Page : 309)
સવાલ (૪૮ર–૯ર) :– અમૂક લોકોનું કહેવું છે કે નિકાહ થયા પછી ઓરત સાથે પહેલી રાતે સોહબત કરે અને બીજા દિવસે ખાવું ખવડાવે તેને વલીમો કહેવામાં આવે છે તો શું એ વાત ખરી છે ?
જવાબ (૪૮ર–૯ર) – શરીઅતની પરિભાષામાં નિકાહની ઝિયાફતને વલીમો કહે છે,વલીમો સુન્નત છે વાજિબ નથી,અલ્લાહના રસૂલ (સ.અ.વ.) એ વલીમો ખવડાવ્યો છે, દુલ્હા–દુલ્હનનાં મેળાપ પછી વલીમો કરાવવો બેહતર છે, નિકાહના સમયે પણ જાઈઝ છે,પોતાની શકિત પ્રમાણે કરાવે, વ્યાજ કે કર્ઝ લઈ ન કરાવે,સુન્નતની નિય્યતથી કરાવે,દેખાવો કરવા કે મોટાઈ માટે કરવો મનાઈ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(ઈમદાદુલ ફતાવાઃ૪/પ૬૩ કિફાયતુલ મુફતીઃપ/૧૬૧)
Log in or Register to save this content for later.