મહેરની અદાયગી પહેલાં પત્નિનો આપઘાત.

Chapter : મહેરનું વર્ણન

(Page : 308)

સવાલ(૪૮૦–૯૦):–એક માણસે શાદી કરી, તેની પત્નિને મહેર અદા કરવાની બાકી હતી અને પત્નિએ દોઢ માસમાં આપઘાત કર્યો, તો તેની મહેર અદા કરવી જરૂરી છે ? અને તે રકમ કોને આપવી ?

જવાબ(૪૮૦–૯૦):–તેણીની મહેર અદા કરવી અતિશય જરૂરી છે,મહેર ધણીના સિરે કર્ઝ સમાન છે, તેણીના નજીકના જે વારસદાર કુટુંબીઓ હશે તેમને શરીઅતના હુકમ અનુસાર આપી દેવામાં આવે,જેમકે માં–બાપ, તેઓ ન હોય તો ભાઈ–ભત્રીજા, એ પણ ન હોય તો કાકા અને તેની ઔલાદ (પત્નિના વારસદારો) ને આપી દેવામાં આવે. ફકત અલ્લાહ તઆલા વુધ જાણનાર છે.

( હિદાયાઃ ર/૩૩૭)

Log in or Register to save this content for later.