Chapter : મહેરનું વર્ણન
(Page : 305)
સવાલ(૪૭ર–૮ર ):–કોઈ માણસ નિકાહ કરતાં પહેલાં એ નિય્યત કરે કે મારે હજાર રૂપિયા મહેર લખાવવી છે,પછી ઓરત પાસેથી માફ કરાવી લઈશ,અને હજાર રૂપિયા મહેર લખાવી આપી,તો એવું કરવું જાઈઝ છે ?
જવાબ(૪૭ર–૮ર):–એમ કરવું ઠીક નથી,મહેર તેણીનો હક છે,જે આપી દેવો જોઈએ,બળજબરી માફ કરાવવું મના છે, કિયામતના દિવસે પકડશે, ઔરત ખુશીથી માફ કરે તો ખૈર, જેથી પોતાની શકિત પ્રમાણે મહેર રાખે, મહેરે નબ્વી,પ૦૦ દિર્હમ વઝન ચાંદી,લગભગ એકસો સવા એકત્રીસ તોલા ચાંદી હતી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ૪/ર૩૩)
Log in or Register to save this content for later.