Chapter : શાદીમાં બિન ઈસ્લામી રિવાજો
(Page : 303)
સવાલ(૪૬૮–૭૮):– આપણા દેશનો રિવાજ છે કે શાદી કર્યા પછી તે બહેનને હમલ રહે તો પાંચ અથવા સાત માસે રિવાજ પ્રમાણે કંઈક ફાતિહા આપે છે, અને શાદીના જેમ શણગારી તેણીને પતિના ઘેરથી તેણીના બાપના ઘેર,બીજી સ્ત્રીઓ ગીત ગાતાં ગાતાં લઈ જાય છે, ફાતિહા શા માટે અને આ રિવાજ કોનો ? મુસલમાન ઓરતને પરદાનો હુકમ છે, મજકૂર રિવાજમાં કોઈ દખલગીરી કરે તો કંજુસ અને ફિત્નાખોર કહેવામાં આવે છે,તો એનો શું હુકમ છે ?
જવાબ(૪૬૮–૭૮):–દર્શાવેલ રિવાજ અત્યંત ભુંડો અને બિન ઈસ્લામી છે, બિન મુસ્લિમોના રિવાજ સાથે મળતાપણું છે, મુસ્લિમોએ અવશ્ય બચવું જોઈએ,તે સમયે ફાતિહા સાબિત નથી,જો શુક્રાનાની રૂએ રિવાજ વિના લિલ્લાહ ખવડાવે તો બેહતર છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.
(ઈસ્લાહુર્રૂસૂમઃપેજ,પર)
Log in or Register to save this content for later.