બીજા પુરૂષ સાથે નાસી જનાર પત્નિ.

Chapter : નિકાહ તુટશે નહિં.

(Page : 297)

સવાલ(૪પપ–૬પ):–અમારા ગામમાં એક બહેન તેના પતિ હોવા છતાં બીજા પુરૂષ સાથે ચાલી ગઈ, બે ચાર દિવસ પછી તે બહેનને લાવી અસલ પતિને સુપરત કરી,નાસી જવા દરમિયાન બીજા પુરૂષ સાથે પત્નિ તરીકે રહી,તો તે ઓરત પહેલા શોહરના નિકાહમાં રહેશે કે નહિં ? અને તેની કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવે ?

જવાબ(૪પપ–૬પ):–સવાલમાં દર્શાવેલ બાબતમાં સદરહુ બહેન–બીજા પુરૂષ સાથે નાસી જનાર,પોતાના ધણીના નિકાહમાં છે, ભલેને બીજા પુરૂષ સાથે તેણીએ નિકાહ કર્યો હોય,એ બીજા નિકાહ રદ (બાતિલ) લેખાશે,નિકાહવાળી સ્ત્રી છુટાછેડા લીધા વિના બીજા સાથે નિકાહ કરી શકતી નથી જેથી પહેલા ધણીને સોંપી દેવી જોઈએ,ફરી નિકાહ પઢવાની જરૂરત નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(શામી,૪/૧૦૯  આલમગીરીઃ ૧/ર૮૦)

Log in or Register to save this content for later.