મર્યાદિત મુદ્દત માટે નિકાહ કરવા.

Chapter : નિકાહ સહીહ નથી.

(Page : 295)

સવાલ(૪પ૦–૬૦):–એક માણસે પોતાની ઓરતને ત્રણ તલાક આપી દીધી,પછી છ મહીના બાદ તે ઓરતે બીજા એક માણસ સાથે નિકાહ કર્યા,અને તેને સાફ કહેવામાં આવ્યું હતું કે તારે મજકૂર ઓરત સાથે એકવાર સંભોગ કરી તુરત તલાક આપી દેવી,હવે મજકૂર ઓરત સાથે તેનો આગલો પતિ ઈદ્દત પુરી થયે ફરીવાર નિકાહ કરવા ચાહે છે, તો અમૂક ચોકકસ સમય માટે કામ ચલાવ અને હલાલા પુરતા નિકાહ થઈ શકે ? મજકૂર હલાલહમાં જે કામચલાવ નિકાહ કરવામાં આવ્યો એ ‘‘મુત્અહ માં શામિલ છે કે કેમ ? હલાલુ કરનાર અને કરાવનાર પર ખુદાપાક ની લા’નત છે તો પછી એવા લા’નતીનો કયામતમાં શું હાલ થશે ? તેની બક્ષિશ થશે કે કેમ ?

જવાબ(૪પ૦–૬૦):–જો હલાલહમાં સમય,મુદ્દત,એક રાત કે અઠવાડિયું વિગેરે વર્ણન કરવામાં આવે તો એ મુત્અહ લેખાશે,એવા નિકાહ બાતિલ છે, એવા નિકાહથી તેણી પહેલા ધણી માટે હલાલ થશે નહિં,અને જો નિકાહમાં મુદ્દત નકકી કરે નહિં ભલેને દિલમાં નિર્ણય હોય કે એકવાર સંભોગ કરી તલાક આપી દઈશ તો એ નિકાહ જાઈઝ છે, હલાલહ દુરૂસ્ત લેખાશે એટલે તેણી પહેલા ધણી માટે હલાલ થઈ જશે; (શામીઃ૪/૧૪પ)

                હલાલહનું કૃત્ય ખરેખર લા’નતી છે, હદીષ શરીફમાં બન્‍નેવ (હલાલહ કરનાર અને કરાવનાર) ઉપર લા’નત કરવામાં આવી છે, શરીફ (સજજન)નું એ કામ નથી,તથા મો’મિનને શોભાષ્પદ નથી,એની બક્ષિશ અલ્લાહ તઆલાની મરજી ઉપર છે તે ચાહે તો માફ કરી દે અને ઈચ્છે તો સઝા આપે;

                સારાંશ કે હલાલહથી ઈમાનથી નીકળશે નહિં,હંમેશ દોઝખી લેખાશે નહિં, ઈન્શાઅલ્લાહ એની મગફિરત થશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (મિશ્કાત શરીફઃપેજ,ર૮૪)

Log in or Register to save this content for later.