Chapter : નિકાહ સહીહ નથી.
(Page : 293)
સવાલ(૪૪પ–પપ):–એક મુસ્લિમભાઈ એક ગેરમુસ્લિમ સ્ત્રીને મુસ્લિમ બનાવી નિકાહ પઢનાર છે,પરંતુ એ બાઈને એ જ મુસ્લિમભાઈથી હમલ છે તો આવી સુરતમાં જે બચ્ચું નિકાહ બાદ પૈદા થાય તો તે બચ્ચાં માટે શું હુકમ છે ?
જવાબ(૪૪પ–પપ):–જો એ ગેરમુસ્લિમ બહેન પરણેલ હોય તો હમલ તેણીના ધણીના લેખાશે,જેથી અત્રે નિકાહ દુરૂસ્ત નથી,બાળક અવતર્યા બાદ પઢે, અત્યારે જ મુસલમાન બનાવી લેવામાં આવે,બાળક પૈદા થયા પછી નિકાહ કરે,તેણી ઈસ્લામ સ્વીકારશે તો બાળક માંના તાબે થઈ મુસ્લિમ ગણાશે, જેથી ખુદા ન કરે મરી જાય તો જનાઝહની નમાઝ પઢવામાં આવશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(આલમગીરીઃ ૧/ર૮૧)
Log in or Register to save this content for later.