Chapter : નિકાહ સહીહ નથી.
(Page : 292)
સવાલ(૪૪૩–પ૩):–નિકાહમાં ફકત દુલ્હનનેજ ઈજાબ અને કબૂલ કરાવે અને દુલ્હાને ઈજાબ તથા કબૂલ ન કરાવે તો એ નિકાહ સહીહ થઈ જશે ?
જવાબ(૪૪૩–પ૩):–સર્વે ભરોષાપાત્ર કિતાબોમાં લખ્યું છે કે નિકાહ બે ગવાહો સમક્ષ ઈજાબ અને કબૂલ કરાવવાથી એટલે એકના તરફથી ઈજાબ અને બીજા તરફથી કબૂલ જરૂરી છે, જેથી કેવળ દુલ્હન તરફથી ઈજાબ થાય અને દુલ્હા તરફથી કબૂલ ન થાય તો નિકાહ દુરૂસ્ત નથી, દુલ્હા જાતે પોતે કબૂલ કરે અથવા તેનો વકીલ અથવા વાલી કબૂલ કરે તો જાઈઝ થશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(આલમગીરીઃ ૧/ર૭૦.)
Log in or Register to save this content for later.