[૩પ] મઅ્‌ઝૂર માટે કુર્આન મજીદ અને દીની કિતાબો પકડવાનો હુકમ

Chapter : તહારત

(Page : 70)

સવાલ :– મારા એક દોસ્તને વુઝૂ વધુ વાર રહેતું નથી, એમને હવા નીકળવાની બીમારી છે, તો એ ભાઈ વગર વુઝૂએ કુર્આન શરીફ પઢી શકે છે ? તેમજ કિતાબો પઢી શકે છે ? ઝિક્રુલ્લાહ વિગેરે કરી શકે છે ?

જવાબ :– મોઢે કુર્આન શરીફ પઢવું, ઝિક્રુલ્લાહ કરવું, કુર્આન શરીફ અને તફસીર સિવાય અન્ય દીની કિતાબો હાથમાં પકડીને વાંચવી વુઝૂ વગર પણ જાઈઝ છે, પરંતુ વુઝૂ કરી આ કામો કરવા મુસ્તહબ છે.

                બાકી વગર વુઝૂએ કુર્આન શરીફ હાથમાં પકડવું જાઈઝ નથી અને તફસીરની કિતાબ પણ ન પકડવી જોઈએ. જો હવાની બીમારીવાળો માણસ શરીઅતની દ્રષ્ટિએ મઅ્‌ઝૂર હોય તો નમાઝ માટે કરેલા વુઝૂથી તે નમાઝનો સમય પૂરો થતાં સુધી કુર્આન અને તફસીરની કિતાબ પકડીને પણ પઢી શકે છે, ભલે નમાઝ પઢયા પછી હવા નીકળી હોય.

(શામી ભાગ–૧/૧૧૭ મરાકિયુલ ફલાહ–૮૦)

Log in or Register to save this content for later.