વ્યભિચારથી થયેલ સગર્ભા સ્ત્રી.

Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.

(Page : 274)

સવાલ(૪૦૬–૧૬):–એક સ્ત્રી,સગર્ભા છે,અને તેના નિકાહ મૌલૂદ શરીફ ને દિવસે શરીઅતના કાનૂન મુજબ,(વકીલ બે સાક્ષીઓ સાથે) થયા છે,તો શરીઅતની રૂએ કાંઈ વાંધો આવશે ?

જવાબ(૪૦૬–૧૬):–ઝિના (વ્યભિચાર) થી થયેલ સગર્ભાના નિકાહ કોઈ પણ જાતના વાંધા વિના થઈ જશે. નિકાહ પછી હમલની જાણ થવાથી પણ નિકાહમાં કોઈ ઉણપ આવશે નહિં, નિકાહ કરનાર પુરૂષના હમલ (ગર્ભ) હોય તો સંભોગ કરવામાં વાંધો નથી, નહિં તો બાળકના જન્મ થતાં સુધી સંભોગ કરવાની મનાઈ છે, સારાંશ કે ઝિના (વ્યભિચાર) ના હમલથી નિકાહ તુટશે નહિં. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.   (હિદાયાઃ ર/૩૧ર. શામીઃ૧/૧૪૧)

Log in or Register to save this content for later.