Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.
(Page : 270)
સવાલ(૩૯૪–૪):–અહમદ,હનીફાનો પિત્રાઈ ભત્રીજો થાય છે, તો હનીફાના લગ્ન પિત્રાઈ ભત્રીજા સાથે થઈ શકે કે નહિં ? સગા અથવા સાવકા અથવા મત્રાઈ ભત્રીજા સાથે લગ્ન થઈ શકે કે નહિં ?
જવાબ(૩૯૪–૪):–એ નિકાહ (અહમદના હનીફા સાથે) કોઈ પણ વાંધા વિના દુરૂસ્ત છે,કારણ કે હનીફા,અહમદ માટે મોહર્રમાત (તે સ્ત્રીઓ જેમની સાથે નિકાહ હરામ હોય) માંથી નથી; અહમદ,હનીફાનો પિત્રાઈ ભત્રીજો થયો અને પિત્રાઈ ભત્રીજા સાથે નિકાહ દુરૂસ્ત છે,સગા અથવા સાવકા અથવા મત્રાઈ ભત્રીજા સાથે નિકાહ હરામ છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૪/૯૯. આલમગીરીઃ ૧/ર૭૩)
Log in or Register to save this content for later.