હજ્જે કિરાન અદા થશે.

Chapter : હજના વિવિધ મસાઈલ

(Page : 267)

સવાલ(૩૮૮–૧૮):–  એક માણસે હજ્જે કિરાન (એક એહરામ વડે હજ્જ અને ઉમરહ કરવા) ની નિય્યત કરી,ત્યારબાદ મકકહ મુકર્રમહમાં હરમ શરીફમાં પહોચ્યાં પછી સર્વપ્રથમ તવાફ કરે છે,પછી એ’લાન થયું કે આજે આઠમી જિલહજ્જ છે,અને બધાંએ મીના જવાનું છે,હવે મજકૂર માણસ તવાફે કુદૂમ કે સઈ કર્યા વિના જ મીના ચાલ્યો જાય છે,ત્યાર બાદ મજકૂર માણસ હજ્જે ઈફરાદના બધા જ અરકાનો અદા કરે છે, છેવટે તવાફે વિદાઅ વખતે એહતિયાત ખાતર હજ્જે કિરાન પૈકી જે ઉમરહની સઈ બાકી હતી તે કરે છે,તો તેની કઈ હજ્જ અદા થશે ? અગર હજ્જ કબૂલ નહિં થાય તો તેના ઉપર શું વાજિબ છે કે જેનાથી તેની હજ્જ અદા થઈ જાય,તેમજ સઈ ન કરવા બદલ કંઈક દમ અથવા કફફારો આપે તો હજ્જ સહી થશે ? દમ અથવા કફફારો વાજિબ હોય તો તે જ વખતે આપવો જોઈએ કે પછી પાછળથી કોઈ પણ જગ્યાએ આપી શકે છે ?

જવાબ(૩૮૮–૧૮):–  બીજી સઈ (સફા–મરવહ દર્મિયાન દોડવું) કરી લેવાથી હજ્જે કિરાન અદા થઈ જશે, દમ કે કફફારો વાજિબ થશે નહિં, સુન્‍નત વિરૂધ્ધ થયું,ઉમરહના કૃત્યો (તવાફ અને સઈ) અરકાને હજ્જ અગાઉ સુન્‍નત છે, આથી કિરાનનો દમે શુક્રિયહ દેવો પડશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.                                            (હિદાયાઃ ૧/રપ૮)

Log in or Register to save this content for later.