[૩૩] ઓરતને આગળના રસ્તાથી હવા નીકળવાથી વુઝૂ

Chapter : તહારત

(Page : 68)

સવાલ :– હવા ખારિજ થવાથી વુઝૂ તૂટી જાય છે તો જે ઓરતના બન્ને રસ્તાથી હવા ખારિજ થાય છે ? શરઈ રૂએ તેનો શું હુકમ છે ?

જવાબ :– આગળ પેશાબના રસ્તાથી હવા નીકળવા જેવું લાગે તેનાથી વુઝૂ નહિં તૂટે, અલબત્ત જે ઓરતના આગળ પાછળના (પેશાબ– પાખાનાના) બન્નેવ રસ્તાઓ મળી ગયા હોય તેવી ઓરતને આગળના રસ્તાથી હવા નીકળવાનો ભાસ થાય તો એહતિયાતની રૂએ વુઝૂ કરવું વાજિબ છે. (શામી ૧/૯ર)

Log in or Register to save this content for later.