Chapter : હજના વિવિધ મસાઈલ
(Page : 265)
સવાલ(૩૮૩–૧૩):– હરામ કમાણીના નાણાંથી હજ્જ પઢી શકાય ખરી ?
જવાબ(૩૮૩–૧૩):– હરામ કમાણીથી હજ્જ પઢશે તો કબૂલ થશે નહિં, એવી હજ્જ બારગાહે ઈલાહીમાં ચઢતી નથી,વ્યર્થ લેખાશે,અલ્લાહ તઆલા પાક–પવિત્ર છે,અને પાક હલાલ માલને જ સ્વીકારે છે,માટે અલ્લાહ તઆલા ના માર્ગમાં (હજ્જ,ઝકાત,સદકો વિગેરે) એક પૈસો પણ હરામનો વાપરવો જોઈએ નહિં, હલાલ કમાઈથી જ હજ્જ પઢવા જવું જોઈએ,જો પોતાની પાસે હલાલ રકમ ન હોય,અથવા શંકાવાળી રકમ હોય તો કોઈ હલાલ કમાણીવાળા પાસે થી કર્ઝ લઈ લે,અને પોતાની પાસેથી કર્ઝ પરત કરે, હરામ કમાણીથી હજ્જ પઢવા જનાર ઉપર આ કહેવત છે,” સો ચુહે ખા કર બિલ્લી હજ્જકો ચલી ” બરાબર બંધ બેસતી કહેવત છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (આલમગીરીઃ ૧/રર૦ , શામીઃ ૩/૪પ૩)
Log in or Register to save this content for later.